________________
૨૦
રોકાઈ જાઓ રાજવી !
અયોધ્યાનું ઘટાટોપવાળું આકાશ એકદમ સ્વચ્છ થઈ ગયું. રાજા બાહુબલના સર્વસ્વત્યાગે માયા-મોહના કીચડમાં ફસાયેલાં હૃદયોને વિશુદ્ધ કરી નાખ્યાં. મેલ બધો ધોવાઈ ગયો, ને ઘડી પહેલાં આંખના કણા જેવા લાગતા રાજા બાહુબલ નેત્રને આનંદ આપનાર નવવસંત જેવા લાગવા માંડ્યા.
બે ભાઈમાંથી કોને વખાણવા ને કોને ન વખાણવા ? બંનેએ હૃદયની ૫૨મ ઉદારતાનું પ્રદર્શન કર્યું હતું. કોનો દોષ જોવો, કોનો ગુણ જોવો ?
બેમાંથી કયું ત્રાજવું નીચું નમાવવું ? વાહ રે હૃદયરાજવીઓ ! સંસારમાં તમે એક વાર જે કાળી યુદ્ધવાદળી પ્રસારી દીધી હતી, ત્યાં આજ શાંતિનો સૂર્ય પણ તમે જ ચમકાવી દીધો ! જે કર્મે શૂર એ જ ધર્મે શૂર નીકળ્યા.
‘રાજા તે યોગી.
‘યોગી તે રાજા !’
—આ સત્યની યથાર્થ પ્રતીતિ આજે રાજા બાહુબલે કરાવી દીધી હતી. ભગવાન ઋષભદેવના પુત્ર તરીકેની આજે પૂર્ણ યોગ્યતા એમણે બતાવી આપી હતી; સોનાની ખાણમાંથી સોનું જ નીકળે, એ સિદ્ધ કરી બતાવ્યું હતું !
રાણી સુભદ્રાદેવી પણ આ દૃશ્ય જોઈ ન શક્યાં. ક્ષણિક વ્યામોહમાં બાહુબલને સંહારવા માટે ધારણ કરી આવેલાં કાચનાં શસ્ત્રો, હવે એમનો પોતાનો જ ઘાત કરતાં લાગ્યાં.
રે નારી ! તેં ઉદાર મનના ભરતદેવનું પડખું તો સેવ્યું, પણ એક ઘડીમાં ભવની ઓળખાણ ભૂલી ગઈ ! ભરત ચક્રવર્તી કોના પુત્ર ? બાહુબલ કોના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org