________________
સ્વામીની જે કીર્તિ સાંભળી હતી, તે ખરેખર સાચી છે.
બાહુબલ આગળ બોલ્યા : ‘મહાનુભાવો ! મૃગથી મૃગેંદ્ર કદી જિતાતો નથી; સિંહથી ભા૨ેડ જિતાતું નથી; દેવથી દેવેન્દ્ર કદી પરાભવ પામતો નથી; અંધકારથી સૂર્ય જિતાતો નથી; એમ કોઈ રાજાથી ચક્રવર્તી જિતાતા નથી. રાજા બાહુબલથી ચક્રવર્તી ભરતદેવ કદી જિતાયા નથી ને કદી જિતાશે પણ નહિ. રાજા બાહુબલ ચક્રવર્તી ભરતદેવનો ચરણકિંકર છે. હું અસારમાં લોભાયો, હું વિવેકહીન બન્યો, એ માટે મોટાભાઈ મને માફ કરે, અને મારું તક્ષશિલાનું રાજ સંભાળી લે ! અવિનય માટે હું મારા વડીલબંધુની અને મારાં ભાભીશ્રીની અને તમ સહુની ક્ષમા યાચું છું.’
રાજા બાહુબલે બે કદમ ઉઠાવ્યાં, અને વડીલ ભાઈના ચરણમાં નમસ્કાર કરી, રડતા રડતા બોલ્યા :
બંધુ ! આખરે નાનો એ નાનો નીકળ્યો, મોટાએ મોટાઈ ન છોડી. ધિક્કાર છે મારા સત્ત્વને ! ધિક્કાર છે મારા અભિમાનને ! મને માફ કરો, અને જીવનકલ્યાણના માર્ગે મને જવા દો, મોટાભાઈ !
ભરતદેવે ચરણમાં પડતા નાના ભાઈને ઊંચકી લીધો, ને છાતી સાથે ચાંપતાં બોલ્યા,
રે
‘હું મોટો થઈને મારી મોટાઈ ભૂલ્યો. રે બાહુબલ ! મારો અપરાધ ક્ષમા કર અને અયોધ્યાને સનાથ કર !’
દીપક અને સૂરજ બંને પ્રકાશ આપનારા છે. પણ દીપક બુઝાઈ જાય, એ જગત વેઠી શકે, સૂરજ બુઝાઈ જાય તો જગત નામશેષ બની જાય. મારા જેવા અનેકનો ક્ષય થાઓ, પણ ભરતશાસનનો જય થાઓ ! હું હવે પિતાજી પાસે જાઉં છું ભાઈ ! તક્ષશિલાને તમે સનાથ કરો !” ને રાજા બાહુબલે શરીર પર રહેલા રાજત્વસૂચક ચિહ્નોનો ત્યાગ કરવા માંડ્યો. માત્ર એક વસ્ત્ર રાખીને એ આગળ વધ્યા.
ભરતદેવ આ દૃશ્ય જોઈ ન શક્યા : ‘રે ભાઈ ! રોકાઈ જા. જવા લાયક તો હું છું. મારો ત્યાગ કરીને મારે માટે સિંહાસનને કાંટાની પથારી અને અયોધ્યાને અરણ્ય બનાવતો ન જા !' આટલું બોલતા બોલતાં ભરતદેવ બેભાન બની ગયા, એમનું પ્રેમાળ હૈયું આ દૃશ્ય જીરવી ન શક્યું !
રાજા બાહુબલ દૃઢ સંકલ્પ લઈને આગળ વધ્યા હતા. તેઓ અયોધ્યાના અમાત્યો ને મહારાણી તરફ જોઈને બોલ્યા :
૧૯૪ * ભરત–બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org