________________
‘મહાનુભાવો, મહારાણી સુભદ્રાદેવીએ જે કહ્યું તેને મારો સંપૂર્ણ ટેકો છે ઃ એક તો આમાં અતિ થઈ છે; બીજું અતિ એ આવેગ છે. અને ત્રીજી વાત એ કે અતિ વર્જ્ય છે — ત્રણે વાત હૃદયંગમ કરવા જેવી છે.’
બાહુબલના આટલા શબ્દોએ જાણે ઊછળતા મહાસાગર ૫૨ તેલ રેડ્યું. કોપાવિષ્ટ મહારાણીનો કોપ ઊતરી ગયો. પ્રજા વળી નવા પ્રવાહમાં તણાઈ. બાહુબલની વાણી આગળ વધી :
‘મારા વડીલ બંધુ અંગત રાગમાં ખેંચાયા છે. રાજકારણમાં એ હેય છે એમણે ત્યાગીના જેવી વાતો કરી છે. સાચો રાજપુરુષ એમ ન કરે. એ તો એવો મહત્ત્વાકાંક્ષી હોય કે ત્રણ ભુવનનું રાજ મળે, તોય એને અલ્પ લાગે ! રાજકારણી પુરુષ હારે તોય હાર ન સ્વીકારે. મારા ભાઈ અંગત રાગમાં દોરવાઈ ગયા છે. એમણે અતિ કરી છે. અતિ વર્જ્ય છે.’
આખી સભા રૂપાળા દેહવાળા અને સાથે સાથે રૂપાળા મનવાળા કામદેવની વાહ વાહ પોકારી રહી. રાજા બાહુબલ આગળ બોલ્યા :
‘જગત મને કામદેવનો અવતાર માને છે. કામદેવ ખુદ પોતે સ્વરૂપવંત હોય, એના કરતાં એનું મન વધુ સ્વરૂપવંત હોવું ઘટે. કામદેવ સામી વ્યક્તિના દેહનું સૌંદર્ય પારખે, એની સાથે એના મનનું સૌંદર્ય તો પ્રથમ જ પારખે; તો જ
કામ સફળ થાય.
‘જગત માને છે, કે રૂપાળાં સ્ત્રી અને પુરુષ એટલે રતિ અને કામ. એ ભૂલ છે. એ તો ચામડીના મોહ છે, ને ખાબોચિયાનાં જળ છે, જે જલદી ગંધાઈ ઊઠવાનાં છે.
‘મને અને તન બંનેથી સુંદર સ્ત્રી પુરુષો એ જ સાચાં રતિ અને કામ છે. જગતમાં સાચી જોડી એ છે.
‘મેં મહારાણીના દેહના રૂપને વંદન કર્યું, પણ મારા ભાઈના રૂપ આગળ આજ એ ઝાંખાં પડ્યાં. મારા ભાઈનું રૂપ તન અને મન બંનેમાં છે. એ ભાઈને હું વંદન કરું છું. તમે એટલું જાણી લો, કે સંસારમાં બે તીર્થંકર હોતા નથી, બે ચક્રવર્તી હોતા નથી, બે વાસુદેવ હોતા નથી. એક મ્યાનમાં બે તલવાર હોતી નથી, એક વનમાં બે સિંહ હોતા નથી.’
બાહુબલ થોડી વાર થોભ્યા. એમણે પોતાનાં પોયણાંશાં નયન ચારેતરફ ફેરવ્યાં. એ મોહિની મૂર્તિ અયોધ્યાવાસીઓનાં દિલ પર આલેખાઈ ગઈ. સૌને થયું : અરે ! તક્ષશિલાનાં સિકસુંદર નરનારની અને તક્ષશિલાના
કામ અને રતિ - ૧૯૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org