________________
સમર્પી દેવા કંઈ તૈયાર થાય? અને એ જ મનોદશામાં ચક્રવર્તીએ આજે અયોધ્યાનું ભાવિ અચોક્કસ બનાવી નાખ્યું.
રાણી ચૂપ હતાં, સભા ચૂપ હતી, પણ અંતરનો વ્યવહાર ચાલુ હતો. આખરે મહારાણીને લાગ્યું કે જો પોતે અત્યારે જ કંઈ નહિ કરે તો હમણાં બાહુબલ સિંહાસન સ્વીકારી લેશે. સહુ રસ્તા પરનાં રંક બની જશે ને બધો ખેલ બગડી જશે.
રાણી આવેશમાં એકાએક ઊભાં થયાં અને બોલ્યાં :
‘ચક્રવર્તીદેવ અત્યારે બંધુ પ્રેમના આવેશમાં છે. એમાં એમણે અતિ કરી છે. અને કોઈ પણ કાર્યમાં અતિ એ તો આવેશનો જ એક પ્રકાર છે અને તે વર્ય છે. સામ્રાજ્ય એ કંઈ રમકડું નથી, કે સ્નેહથી નાનાભાઈને રમવા આપી દેવાય. રાજા અને રાણી બંને સિંહાસનનાં હકદાર છે. કોઈ પણ પરિવર્તનમાં પટરાણીની સંમતિ જોઈએ જ. અયોધ્યા જગતની સંસ્કૃતિની પારાશીશી છે. એને ગમે તેવાના હાથમાં આપીને નષ્ટ કરવાથી જગતનું નુકસાન છે. રાજકારણમાં માણસે અંગત આવેશો કાઢી નાખી ગંભીર થવું જોઈએ.'
રાણીજી આટલું બોલીને બેસી ગયાં. પણ આટલા શબ્દો ભવિષ્યમાં રાજકારણનાં અનેક ભાષ્યો રચવા માટે પૂરતા હતા. ભરતદેવ સાથે લાગણીના પૂરમાં તણાતી પ્રજા આ શબ્દોથી સાવધ થઈ ગઈ.
સાચો રાજકારણી પુરુષ માણસની કમજોરીઓને રમાડવામાં રાચે છે. પટરાણી રાજકારણી જીવ ઠર્યા.
પ્રજા નવા પ્રવાહમાં વહી ગઈ. સહુને દેવી અવતાર લાગતા રાજા બાહુબલ ક્ષણભરમાં આંખના કણા જેવા લાગ્યા.
આ વખતે રાજા બાહુબલ ધીરેથી ઊભા થયા. કેશવિહોણું એમનું મસ્તક અનેરી શોભા ધરી બેઠું હતું. ધર્મની ધજા જેવા એમના દેહની સુશ્રી અનેક સુંદરીઓને સ્વપ્નમાં નાખી દેતી હતી. અરે ! સુવર્ણને શું કરવું છે? આ દેહમાં જ સુવર્ણ છે, મણિ-માણેક છે. આવા પુરુષોની ટચલી આંગળીનો સ્પર્શ પણ વિષયના કીચ દૂર કરી, પ્રેમનાં કમળ ખીલવવા સમર્થ છે.
બાહુબલ મેઘ જેવા સ્વરે બોલ્યા : મોટા બંધુ, મહારાણીજી અને પ્રજાજનો !”
આ શબ્દો નહોતા, જાણે સ્વાતિના મેઘ વરસતા હતા, અને જેના હૈયામાં એ ટપકતા હતા ત્યાં મોતી બનીને બેસી જતા હતા ! ૧૯૨ ભરત–બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org