________________
અને પટરાણીને પોતાનું કથન કથવા ફરી વાર કહ્યું.
રાજા બાહુબલ પણ એક પ્રેમભરી નજરથી પોતાનાં ભાભી તરફ નીરખી રહ્યા. આહ ! એ પ્રેમનજરમાં બળેલા પદ્મને પણ પ્રફુલ્લાવવાની તાકાત હતી, અને અયોધ્યાનું આ ખીલેલું કમળ કેમ કરમાઈ ગયું ! રાણી આકુળવ્યાકુળ બની ગઈ.
ખરેખર ! આ નારીએ પોતાની રૂપસુંદર કાયાના મદમાં પોતાનું ગુણજ્ઞ હૃદય જાણે ખોઈ દીધું હતું ! નારીના જીવનનો ટૂંક સમયમાં થયેલો વિપર્યાસ સહુને પડી રહ્યો. સ્ત્રીઓએ કેશગુંફનકળાનો વિકાસ કર્યો, પણ અંતરમાં તો કેવળ વિષયની ગાંઠો જ રાખીને ! એમણે ભોળપણનો ત્યાગ કર્યો.
સ્ત્રીઓએ માણસને વીંધી નાખે એ રીતે પયોધરોને શણગાર્યા, પણ માણસને પોતાનો બનાવી નાખે એવું હૃદયામૃત સૂકવી નાખ્યું.
સ્ત્રીઓએ ઓષ્ઠને આકર્ષક રીતે રક્તરંજિત કર્યા, પણ પારકાની સહાનુભૂતિ માટે ખળભળી ઊઠનારું રક્ત ખોઈ દીધું, કોમળ સ્ત્રી સૂર્યનો તાપ ન સહેવાય માટે માથે અવગુંઠન-ઓઢણ નાખતી. હવે સ્ત્રીઓએ ઓઢણને પણ પોતાનાં રૂપાળાં અંગોને નિર્લજ્જ રીતે ધૂપ-છાયાની જેમ પ્રગટ ને અપ્રગટ કરનારું આકર્ષક સાધન બનાવ્યું !
સૌંદર્યની સર્વ કલા સ્ત્રીઓએ વિસ્તારી, પણ જીવનની મહત્તમ કલાઓનો સ કર્યો. મહારાણી તો પર્વતકન્યા ! પર્વતકન્યા ભારે રૂપવંતી હોય, એટલું જ એમણે સાચું ઠરાવ્યું. ગુણના અદ્રિ સાથે જાણે કશીય લેવાદેવા નહિ !
રે ! બાહ્ય વસ્તુઓ અંતરના વૈભવને કેવી રીતે હલકો પાડે છે, એ આજ ભરી સભામાં પ્રત્યક્ષ થયું.
આજે રાણી ખુલ્લામાં પડી ગયાં. એમના અંતરનો વૈભવ તો અદશ્ય થયો, પણ છેવટે ચક્રવર્તીએ જે અંતરનો વૈભવ બતાવ્યો, એની ઉપર તો મોરલાની જેમ મસ્ત થઈ ડોલી ઊઠવું જોઈતું હતું. તે પણ ન કરી શક્યાં રે ! પ્રેમનો આવો મહાસાગર ક્યાં જોવા મળે ? ઘડી પહેલાંનો પ્રલયનો અગ્નિ પ્રેમનો અનંત મહાસાગર કેમ બની ગયો એ ગુણ-ગાથા ગાવા રાણીએ મનમાં ગૂંચળાં તજી સજ્જ થવું જોઈતું હતું !
સભાને લાગ્યું કે રાણી હજી જૂની માન્યતામાં છે, કે પુરુષ પરિસ્થિતિનું પૂતળું છે - જરા તાપ લાગ્યો કે મીણની જેમ ઓગળી જાય. જો એમ ન હોય તો ઘડી પહેલાં જીવ લેવા તત્પર બનેલા ચક્રવર્તી, ઘડી પછી આખું રાજ બંધુને
કામ અને રતિ ૧૯૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org