________________
અરેરે ! આ ટાણે તમને તમારું અરીસાભુવન યાદ આવ્યું ! આવે સમયે, જ્યારે માણસ સર્વસ્વ ન્યોછાવર કરવા તૈયાર થાય ત્યારે, તમને તમારું નૃત્ય, તમારા શણગાર યાદ આવ્યા ! આવા ટાણે તમને તમારા શિલ્પીઓ યાદ આવ્યા, જેઓ સુવર્ણ-૨જતની હરઘડી માગણી કર્યા કરતા, અને તમે કહેતાં કે યુદ્ધ પતી જવા દો, પછી સુવર્ણ જ સુવર્ણ છે ! તમે માગતાં ને ઘાટ ઘડતાં થાકી જશો ! તમને પટકુળના વણનારા યાદ આવ્યા ! અરેરે ! દેહના શણગારશોભા પાછળ ઘેલાં થઈ મનને તમે સાવ નગ્ન બનાવ્યું !
તમે સ્ત્રી તરીકે હાર્યાં, પટરાણી તરીકે પાછાં પડ્યાં, પણ ખેલાડી તરીકે પણ ખેલના મેદાનમાં હારની બાજી રમવા બેઠાં, તમને એ ખ્યાલ કેમ ચાલ્યો ગયો કે જેને ચક્રવર્તીનું અમોધ શસ્ત્ર ચક્રરત્ન પણ કંઈ ન કરી શક્યું, એને તમે પહેરેલાં કાચનાં શસ્ત્રો શું ઈજા પહોંચાડશે ભલા ? ખરેખર, તમે તો પેલી ગામઠી કહેવતને સાચી ઠેરવી કે બિલાડી દૂધ જુએ છે, પણ લાકડીને જોતી નથી. આજ અયોધ્યાની આબરૂ એના ઘેર જ લૂંટાણી !
રે રાણી ! આ સંસારવિખ્યાત કામદેવને તો નીરખો. મહાદેવે કામદેવની કાયાને બાળી નાખી એને અનંગ બનાવ્યો, ત્યારથી સાચો કામ કેવો હશે, એની કોઈને કલ્પના નહોતી. રાજા બાહુબલે આ યુગમાં કામદેવની સાચી પ્રતિકૃતિ રજૂ કરી. જે સ્ત્રીને ચાહે, પણ સ્ત્રીમાં ન મોહે એ કામદેવ, એ વ્યાખ્યા સાકાર કરી. કામદેવ સંયમી હોય. એ કંઈ ઉકરડે આળોટતો ગર્દભ ન હોય, એ તો વિંધ્યાચલમાં વસતો શાર્દૂલ હોય. એની એક નજર ફરે ને કામવિદ્ધ રતિસુંદરીઓ તૃપ્ત થઈ જાય. સાચાં સ્ત્રીપુરુષ તો ઢેલ અને મોર જેવાં હોય,
રે મહારાણી ! આજ કામદેવની તમે ઘૃણા કરી.
હવે અહીંની સ્ત્રીઓમાં ખોટા વિચારો વાસ કરશે. તેઓ માત્ર દેહભોગમાં જ કામની પરિસમાપ્તિ માનશે. માતા-પિતા, ભાઈ-બહેન, મામા-ભાણેજ એ બધા સંબંધોમાંથી એ નિર્દોષ મીઠાશ ખોશે, ને પતિપત્નીધર્મમાં જ – અને તેય અંગોની ઉજાણીમાં જ – એ સુખ માણશે.
માણસ ચંદ્રને નીરખે ને કેવો આહ્લાદ પામે છે ! કામનું એવું છે. જુઓ અને આનંદ પામો ! હવે નજર વિકૃત બનશે. નજરમાં મોહનાં સાપોલિયાં ક્ષુધાતુર થઈ જીભના લપકારા લેતાં દેખાશે.
-
દૃષ્ટિ જેની વિકૃત, એની સૃષ્ટિ પણ વિકૃત !
ચક્રવર્તી ભરતદેવ પોતાનું વક્તવ્ય સમાપ્ત કરીને સિંહાસન પર બેઠા, ૧૯૦ * ભરત–બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org