________________
હતું, પણ યુદ્ધના બે પલ્લામાંથી એક જ પલ્લું અને તે પણ જીતનું પલ્લું એને સ્વીકારવાનું હતું. બાહુબલના બાલચેષ્ટા જેવા વિષયોને મિટાવવા ચક્રરત્ન એકાએક છૂટું મુકાયું.”
સત્યાનાશની ભયંકર પળ આવી ગઈ. ચક્રની તીક્ષ્ણ અસિધારા જેવી ફણાઓનો વેગ હજારોના સૈન્યને કાપી નાખવા સમર્થ હતો. રે ગયો બાહુબલ! રે એના અંગનો અણુ પણ શોધવો મુશ્કેલ પડશે. આખરે સર્વનાશ આવી જ ગયો – હું આ વિચાર કરું છું ત્યાં તો ચક્ર બાહુબલ પાસેથી પાછું ફર્યું. જે વિવેકની વાતને ચક્રવર્તી ભરત ન સમજ્યો, એ જડ ચક્ર સમક્યું ! રે મૂર્ખ, ક્ષણભંગુર રાજ ખાતર બંધુહત્યા હોય?
અને ચક્રને પાછું વળતું જોઈ મારો લઘુ બંધુ પણ ખરો ખીલ્યો. એણે કહ્યું : ભરત ! તું નીતિભ્રષ્ટ થયો ! મારો હાથ તેં હવે છૂટો કર્યો, મારી આમન્યા અળગી થઈ. હવે તું સંભાળજે, મારી વજમુષ્ટિ તારી અપ્રતિષ્ઠા અને તારો પ્રાણ – બંનેને એકસાથે હરશે. લોભે તને લઘુ બનાવ્યો. ધૂળ પડી તારા જીવતરમાં !”
અને વાત પણ સાવ સાચી હતી : પ્રતિજ્ઞાભ્રષ્ટ થઈને, હારીને મારા માટે જીવવું દુષ્કર હતું. ભાઈની મમતાભરી મુષ્ટિ મારો સંહાર ક્યારે કરે તેની રાહ જોઈને હું બેઠો હતો, પણ બાહુબલ તે બાહુબલ ! એણે વિવેકદીપના પ્રકાશમાં પોતાના કર્તવ્યને નાણી જોયું. માણસની મોટાઈ માત્ર આવા વિવેકભર્યા વર્તનમાં જ છે. બાકી તો માણસમાત્ર સમાન છે. બાહુબલને પોતાના કર્તવ્યાકર્તવ્યનું ભાન થયું. એણે પોતાની વજપાત જેવી મુષ્ટિ સંહારી લીધી, ને “આપે આપ' ને મારી. એ જીત્યો, હું હાર્યો. આજ સગે હાથે એને અયોધ્યાનું રાજ સોંપી હું નિવૃત્ત થવા માંગું છું. સભાજનો ! આ થયું મારું નિવેદન ! તમે તમારા ત્રાજવે એનો ન્યાય તોળશો મા ! એની મેળે ન્યાય તોળાઈ ગયો છે.”
આટલું બોલી ચક્રવર્તી બેસી ગયા. સાથે એમણે માનવંતા મહારાણીને કંઈક કહેવા આદેશ આપ્યો.
૧૮૮
ભરત–બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org