________________
શકતા નથી, એટલું એક રાજા એક પળમાં ભલું–ભૂંડું કરી શકે છે. એ માટે તેઓએ રાજા માટે કોઈ પણ કાર્ય કરતાં પહેલા વ્રજપના નિયમ આપ્યા. રાજા ત્રણ દિવસ એકાંતમાં રહે, અન્નનો ત્યાગ કરે, સતત ચિંતન ને જપ કરે. ત્રણ દિવસે એકાંતમાંથી નીકળી પારણું કરી, શુદ્ધ થઈ, પછી અંતરને સૂઝે તે આચરે, રાજાના આત્માને ડૂબતો કોઈ બચાવે તો આ શુદ્ધિવત બચાવે.
યુદ્ધના આરંભ પહેલાં મેં ત્રણ દિવસનું વ્રત આરંભ્ય. એ વ્રતનો પ્રભાવ હોય કે અંતરની અસર હોય, વિષ્ટિકાર તરીકે વિદ્યાધરદેવો આવી પહોંચ્યા. તેઓએ કહ્યું કે તમે ભરત-બાહુબલીને નામે આત્મવિદ્રોહ ચલાવી રહ્યા છો. તમારા હુંપદ ખાતર સર્વવિનાશી યુદ્ધને કાં ખડું કરો ? સેંકડો માણસોનો સંહાર કર્યો શું વળશે ? લડવું હોય તો તમે બે લડો : તમે બે જીતો કે હારો.
મારા મનને ગમતી વાત મને મળી ગઈ. મેં હા પાડી. બાહુબલ હા પાડશે, એની મને ખાતરી હતી. અને અમે બે લડ્યા. જ્યારે કહેવા બેઠો છું. ત્યારે લડાઈનો ટૂંક અહેવાલ પણ તમને આપી દઉં.” ભરતદેવે કહ્યું, ને વાગુધારા આગળ ચલાવી :
પહેલું અમે દૃષ્ટિયુદ્ધ લડ્યા. મેં નેત્રમાં લાવારસ ભરી બાહુબલની નજરને ડારવા પ્રયત્ન કર્યો, પણ સૂર્યને જોઈ કુમુદિની શરમાઈ જાય, એમ મારાં નેત્ર બાહુબલના નેત્રના તેજની આગળ શરમાઈ ગયાં ને મીંચાઈ ગયાં.
બીજું યુદ્ધ હતું વાગ્યુદ્ધ. આમાં મારો વિજય નક્કી હતો. અનેકવાર મારો સિંહનાદ સાંભળી હાથીઓ પૂંછડી પગમાં ને સૂંઢ મોંમાં નાખી પાછા ફરી જતા, ઘોડા મોંમાંથી ઘાસ છોડી દેતા, શસ્ત્રધારીઓનાં શસ્ત્ર હાથમાંથી સરી પડતાં, પણ વાગ્યુદ્ધ વેળાનો મારો નાદ દુર્જનની મૈત્રી માફક ક્ષણિક અને ક્ષીણ નીવડ્યો, અને બાહુબલનો સ્વર સજ્જનની મૈત્રી જેમ વિકસ્વર નીવડ્યો.
‘ત્રીજું હતું ભુજાયુદ્ધ. જે ભુજાથી વિંધ્યાચળની ટેકરીઓ ડોલી ગઈ, એ ભુજા પાસે બાહુબલનું શું ગજું? પણ વાહ રે બાહુબલ ! નાની મીની મોટી મીનીના કાન કાપી ગઈ! એણે મને ઊંચે હવામાં ઉછાળ્યો, ને હાથમાં ઝીલી લીધો.
ચોથું મુષ્ટિયુદ્ધ ! વજને ચૂર્ણ કરનારી મુષ્ટિના ઘા બિચારો બાહુબલ શું વેઠશે? મેં જોયું કે પોતાના થોડાએક વિજયથી બાહુબલને અભિમાન આવ્યું હતું. એની બુદ્ધિ ઠેકાણે લાવવા મેં મુષ્ટિનો ભયંકર પ્રહાર કર્યો. એ કમર સુધી પૃથ્વીમાં ઊંડો ખૂંપી ગયો, પણ હાર્યો નહિ ! એ યુદ્ધ અંતિમ હતું. છેલ્લી નિર્ણાયક પળ વીતતી હતી. અયોધ્યા યુદ્ધમાં
અંતરવેદના ૧૮૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org