________________
ભરતદેવ થોડી વાર થોભ્યા. રાણી સુભદ્રા અન્યમનસ્ક બેઠાં હતાં. બાહુબલ નતમસ્તકે બધું સાંભળી રહ્યા હતા. ચક્રવર્તી આગળ બોલ્યા :
‘એ વેળા યુદ્ધના એક અનિષ્ટનું મને ભાન થયું. હું માનતો હતો કે, યુદ્ધ એ સુધારણાનો એક શિક્ષાત્મક પ્રકાર છે. પિતા પુત્રને દંડે છે, મા દીકરાને મારે છે, મોટાભાઈ નાનાભાઈને ઉપાલંભ આપે છે. પણ એ વખતે અંતરમાં નિઃસ્વાર્થ સ્નેહનો સ્રોત બંને હૃદયમાં વહેતો હોય છે, સામા માણસનું ભલું કરવાની ભાવના હોય છે. છ ખંડ જીત્યા ત્યારે એ ભાવનાના પ્રતીક જેવાં યુદ્ધ હતાં. અમારે પિતા બનીને, વડીલ બનીને, માતા બનીને જગતને ઉદ્ધારવું હતું. એ યુદ્ધ મને અકારાં ન લાગ્યાં. પણ આ યુદ્ધ હું લડવા સજ્જ હતો, છતાં અંતરમાં અકારું લાગતું હતું. મારા સુચતુર પટરાણી આ યુદ્ધની પ્રેરણામાં અગ્રેસર હતાં.”
ભરતદેવે બોલતાં બોલતાં પટરાણી તરફ જોઈને જરા કટાક્ષમાં કહ્યું. કોપભવનમાં બેઠાં હોય, એમ રાણી મુખ પર લાલ હિંગળાનો રંગ ધારીને બેઠાં હતાં. એ જરા વ્યંગમાં બોલ્યાં :
“સંસારમાં માત્ર બંધુપ્રેમ જ છે, ને બીજો કોઈ પ્રેમ નથી, એવું ન માનશો ! દેહના રક્તથી તમને કુમકુમ તિલક કરનાર, તમારા સૈન્યમાં જુસ્સો પ્રગટાવનાર વ્યક્તિને બંધુઘેલા બની અવમાનશો નહિ.'
રાણીજી, હું બોલતો હોઉં ત્યારે કોઈને વચ્ચે બોલવાનું નથી. પછી સહુને સમય મળશે. પૃથ્વીના એક મહાન ચક્રવર્તીને કોઈ દિવસે તો પોતાનો અંતરબંધ ખોલવાની રજા મળવી ઘટે ! ઘણી વાર મનને એમ લાગે છે કે આ રાજમાં મોટામાં મોટો પરાધીન જીવ હું પોતે છું ! અસ્તુ. મૂળ વાત આગળ ચલાવું, મેં મારા સૈન્યમાં જોયું કે નવી જાગેલી સૌંદર્યતૃષા ને સુવર્ણતૃષાએ મારા સેનિકોનાં હૈયાંને લોભથી, લાલચથી, અધર્મથી ભરી દીધાં હતાં. માત્ર હિંસા નહિ, મૃષા નહિ, ચોરી અને પરિગૃહનાં પાપ પણ પ્રગટી નીકળ્યાં હતાં. પણ હું લાચાર જેવી સ્થિતિમાં હતો. મારાથી કંઈ થઈ શકે તેવું નહોતું. મહારાણીએ છેલ્લે દિવસે મહાપ્રસાદ પીરસી એ કાર્ય પર મહોર મારી.
પૂજ્ય પિતાજી સમયજ્ઞ હતા. ખેતરમાં પર્ણ પલ્લવતાં હોય, તો તેનો અવાજ તેમને કાને પડતો. માણસના અંતરને એ સદા જાણતા હોય છે. તેઓ જાણતા હતા કે, માણસ રાજા થઈને કોઈકવાર માણસપણે ખોઈ બેસશે. સંસારના હજારો માણસો કેટલાય દિવસ મથી મથીને જગતનું જેટલું ભલું કે ડું કરી ૧૮૬ ભરત–બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org