________________
પ્રગટાવવું નહિ. યુદ્ધ જગતના નંદનવનને ઉજાડનાર પિશાચ છે. પણ એ પિશાચને કોઈ ઊભો કરીને મોકલે તો એને સસ્તામાં જવા પણ ન દેવો. બાહુબલે મારા પડકારને પડકાર્યો. મારા યુદ્ધને આવકાર આપ્યો.”
ભરતદેવના કંઠમાં ભીનાશ આવી. એમણે આગળ ચલાવ્યું :
યુદ્ધ અને શાંતિ, એ બેના સાચા નમૂના જોવા હોય તો અયોધ્યા અને તક્ષશિલા નીરખો; બંનેની વનભૂમિ, નગરભૂમિ અને એના સ્ત્રી-પુરુષો નીરખો. તરત જ તફાવત લાગશે. દુનિયાને ચૂર કરી નાખનારી શક્તિ સમાન અયોધ્યા વજના હથોડા જેવી લાગશે. તક્ષશિલા કાંટામાં ગુલાબ પ્રગટાવનારી બડભાગી નગરી લાગશે. ત્યાંનાં માણસો પ્રેમ હવાનાં નજરે પડશે. પડોશીની પ્રેમભેટ લેવાની પણ આનાકાની કરતાં દૃષ્ટિગોચર થશે; ત્યારે અયોધ્યા મહત્ત્વાકાંક્ષી નર-નારીની નગરી તરીકે તમારું ધ્યાન ખેંચશે. દુનિયાનો સાર એને ત્યાં હોવો જોઈએ, દુનિયાની સમૃદ્ધિ અને ત્યાં હોવી જોઈએ, એનો નગરજન ક્યાંય દબાયેલો ન દેખાવો જોઈએ, આ એનો આગ્રહ !”
ભરતદેવ બાહુબલ સામે જોતાં આગળ બોલ્યા :
‘અયોધ્યાએ યુદ્ધ આપ્યું. બાહુબલે પોતાની જેવીતેવી સેના સાથે મુકાબલો કરવાની તૈયારી કરી. તમે જાણો છો કે, નાના કુટુંબમાં કુટુંબનો વડો પોતાની મરજીથી બધું કરી શકતો નથી. એને કુટુંબીજનોની વિવિધ દૃષ્ટિઓને નજર સમક્ષ રાખી પોતાના નિર્ણયો ઘડવાના હોય છે. એમ રાજાને પણ પોતાની મરજી કરતાં રાજના આધારભૂત સ્તંભોની મરજીને અનુસરવાનું હોય છે. સ્તંભ વગર કયો મહાલય ટક્યો છે ? અને એ સામાન્ય રાજાથી પણ ખરાબ સ્થિતિ ચક્રવર્તીની હોય છે. આ કારણે અંતરમાં આશંકા છતાં મેં યુદ્ધનું આવાહન આપ્યું !
પછી એક રાતે અંધારપછેડો ઓઢી તક્ષશિલાના સૈન્યની પરિચર્ચા કરી આવ્યો. તક્ષશિલા ખૂબ સુંદર લાગ્યું. એ વખતે મનને એમ થયું કે, રે! જગત પર નંદનવન કદાચ સરજી ન શકાય, પણ સરજાયેલા નંદનવનને નષ્ટ કાં કરું? સંસારને અયોધ્યા નાથી શકે, વિશ્વ પર અયોધ્યા વિજય મેળવી શકે, પણ વિશ્વને નંદનવન બનાવી શકે તો તે માત્ર તક્ષશિલા અને એનો રાજા બાહુબલ ! પણ, તમને મેં કહ્યું તેમ, ચક્રવર્તીના હાથ જવાબદારીથી બંધાયેલા હોય છે. અંતરમાં પ્યાર, મનમાં દર્દ, મસ્તિષ્કમાં વિપ્લવ ભરીને હું મારી ફરજ પૂરી કરીને પાછો ફર્યો.'
અંતરવેદના ૧૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org