________________
તેઓ ભરતદેવની આજની રીતભાતમાં કંઈ પૂરેપૂરું સમજતા નહોતા. ભરતદેવ આગળ બોલ્યા :
:
મારા બહાદુર સામંતો અને મારું અમોઘ શસ્ત્ર ચક્રરત્ન આ સમાચાર સાંભળીને નગરપ્રવેશની ના ભણી બેઠાં. તેઓની ઇચ્છા અખંડ ભૂમંડલનો સ્વામી માત્ર ભરતદેવ રહે એવી હતી. તેઓએ આ તકને વધાવી લીધી. મારા અઠ્ઠાણુ ભાઈઓ પણ અભિષેક-ઉત્સવમાં આવ્યા નહોતા. તેઓનો ખુલાસો માગતાં તેઓએ એક જ દલીલ કરી કે અમને પિતાજીએ રાજ આપેલું છે. સંતોષ અમારો પરમ નિધિ છે. અમારે કોઈને આધીન કરવા નથી, અમારે કોઈને આધીન થવું નથી. મને એમાં કંઈ અનુચિત ન લાગ્યું. આખરે તો એ ભાઈ હતા ને !
મારા સામંતો મારા ચક્રવર્તીપણાના મૂળરૂપ હતા. તેઓએ કહ્યું કે એક માણસ જેમ યોગી થાય, પછી એને સંસારમાં ભાઈ-ભાંડુ, પિતા-પુત્ર, સગા-સ્વજન રહેતા નથી, તેમ ચક્રવર્તીપદ જે પ્રાપ્ત કરે, એ એકનો મટી વિશ્વનો બની જાય છે. એને મન પછી ભાઈ-ભાંડુ, પિતા-પુત્ર રહેતા નથી. એ ફક્ત પોતે ચક્રવર્તી બની રહે છે, ને બીજા બધા એને આધીન પ્રજા બની રહે છે. માટે ભાઈઓને કહેવરાવો કે અયોધ્યાના દરબારમાં આવી સત્તાને કબૂલ કરે.
‘પ્રજાજનો ! દુનિયામાં ખરી કિંમત હૈયાની છે, માણસની નથી. મારા માજણ્યા અઠ્ઠાણુ ભાઈઓ મારા દાબ પાસે મૂંઝાઈ ગયા. સંસારવિખ્યાત મારા શૂરા સામંતો વિષે એમણે ઘણું ઘણું સાંભળ્યું હતું. ચક્રવર્તીની તાકાત પાસે એ થરથરી ઊઠતા. તેઓ પિતાજી પાસે ગયા. વિશ્વવત્સલ પિતાજી તો એક જ મતના પુરુષ છે ઃ જે બીજાને ખપે એ પોતાને ન ખપે. એમણે કહ્યું, સરોવરને પાળની મર્યાદા છે. પણ જે સાગર થયા, એ કહેવાય મર્યાદાવાળા પણ હોય છે અમર્યાદ. એમની તૃષા કદી તૃપ્ત થતી નથી. એમના ભૂખ્યા ખપ્પરમાં તમારાં રાજ અર્પણ કરી દો ! મારા અઠ્ઠાણું રાજવી ભાઈઓ મારા ડ૨થી અને પિતાજીની શિખામણથી રાજસંન્યાસી બની ગયા. એમાં મેં મારા ચક્રવર્તીપદનો વિજય ભાળ્યો !’
ચક્રવર્તીએ પોતાના વક્તવ્યને ધીરે ધીરે તેજસ્વી કરવા માંડ્યું : રાજા બાહુબલ મારા નાનાભાઈ - પાસેથી પણ કંઈક એવા જ વર્તાવની આશા હતી, પણ એ તો અજબ વજ્ર નીકળ્યો. એણે મને પડકાર આપ્યો. એની પ્રતિજ્ઞા હતી કે, ભગવાન ઋષભદેવના પુત્ર તરીકે કદી યુદ્ધ ૧૮૪ * ભરત–બાહુબલી
Jain Education International
--
For Private & Personal Use Only
www.jainelibrary.org