________________
યુદ્ધની રાહમાં મધુ જેવી માદક, પુષ્પ જેવી કોમળ, સ્વપ્ન જેવી ઊર્મિલ ઘણી સ્ત્રીઓ મળી સંસારમાં જેના રૂપની ખ્યાતિ હતી એ પદ્મિની સ્ત્રી સુભદ્રા પણ હસ્તગત કરી પણ ભરત સુંદરીને સાવ વીસરી ન શક્યો. એને લાગ્યું કે એક સુંદરીમાં જે છે, એ સંસારની હજારો સ્ત્રીઓમાં પણ નથી !
એ સુંદરી હંમેશાં એની નજર સમક્ષ જ હતી; આજ પ્રજાના જયજયકારમાં એ ક્ષણ વાર ભુલાઈ ગઈ હતી, તે અચાનક મહાદેવી સુભદ્રાના સુંદરી' શબ્દથી સ્મરણપટમાં ઊગી આવી.
ભરતદેવ પળવાર અન્યમનસ્ક બની ગયા. જગતની આટઆટલી સમૃદ્ધિ લાવ્યા છતાં, જાણે મૂઠીભરનું મન ખાલી ને ખાલી જ રહ્યું હતું ! જગતનાં પ્રશંસાપુષ્પો પોતાના કદમમાં જાણે ઢગલો થયાં હતાં, ને પોતે જાણે એ જય-પુષ્પોનો ફૂલહાર ગૂંથી સુંદરીને કંઠે આરોપવા ઉત્સુક હતો !
ચક્રવર્તી મીઠી મૂંઝવણમાં પડી ગયા. ભરેલા ભોજન જેવી સામે જ બેઠેલી પટરાણી ભુલાઈ ગઈ, ને દૂર બેઠેલી સુંદરીની યાદ જાગી ગઈ. વાહ રે ભરત ! વાહ રે નરભ્રમર !
એ વખતે એક કલાકાર આવીને હસ્તીની સામે ઊભો રહ્યો. એના હાથમાં કોઈ સૂરજના પ્રકાશની જેમ ચમકતી વસ્તુ હતી. એ વિદ્યાધર હતો, ને પોતાના વિદ્યાશિલ્પથી એક અનોખી શોધ કરીને લાવ્યો હતો.
અજબ આ શોધ હતી. અનેક વર્ષ એની પાછળ જોગીની જેમ એણે વિતાવ્યાં હતાં. સિદ્ધિવંત એ પુરુષ હવે એવા નરપુંગવને યાચવા ઇચ્છતો હતો, કે જે એની આખા ભવની ને વંશવારસોની ભૂખ ભાંગે. અને એવો પુરુષ આજે ભરત–બાહુબલી સિવાય સકળ સૃષ્ટિમાં બીજો કોણ હતો ?
શિલ્પીઓ, કલાકારો, વિદ્યાધરોનું સન્માન એ ઋષભશાસનની પ્રણાલિકા હતી; કારણ કે સંસારના પ્રથમ શિલ્પી ભગવાન ઋષભદેવ પોતે જ હતા.
સ્વામિનું!” કલાકારે સંબોધન કરતાં કહ્યું, “સંસારમાં ન થઈ હોય તેવી, અદ્ભુત સિદ્ધિ લઈને આવ્યો છું. જીવનભરની તપસ્યા એની પાછળ છે.”
કલ્પના-જગતમાં અટવાતા ભરતદેવે સ્વસ્થ થતાં પૂછ્યું : શી શોધ છે તારી ?”
આજ સુધી માનવી આખી દુનિયાનું રૂપ જોઈ શકતો, પણ પોતે પોતાનું રૂપ નિહાળવાથી વંચિત રહેતો. જળમાં, ચકચકિત કાંસ્ય પાત્રમાં એ પોતાનું રૂપ જોતો, પણ જોઈએ તેટલી સ્પષ્ટતાથી નિહાળી શકતો નહિ. માણસ
નગરપ્રવેશ ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org