________________
ત્યાગ કરી અરણ્યમાં ગયા. પોતે પણ થોડા દિવસ મહાન પિતાના પુત્રને છાજે એમ મનને મનાવી સુંદરીનો વિચાર હ્રદયથી અળગો રાખી દીધો, પણ ત્યાં તો એનું પોતાનું મન જ અરણ્ય જેવું થઈ ગયું ! કંઈ ન ગમે, કોઈમાં રસ ન લાગે; જગત આખું જીતવાની ઝંખના જાણે વિલીન થતી ચાલી.
એક દિવસ એ સુંદરીને મળ્યો; કહ્યું : સુંદરી ! આ મન અરણ્ય જેવું બની ગયું છે. કહે તો વનમાં ચાલ્યો જાઉં !'
સુંદરી મિષ્ટ ઘંટડી જેવા રણકાથી બોલી : રાજા વિનાની પૃથ્વી પર મત્સ્યગલાગલ ન્યાય પ્રવર્તે, સબળો, સબળો નબળાને પીડે. ભરત ! પિતાની રાજધર્મની પરંપરા તારે જાળવવી ઘટે. માનવજાતના કલ્યાણ માટે મથવું, એ તારો પ્રથમ ધર્મ. બીજા ધર્મ પછીના.’
પોતે કહ્યું : સુંદરી ! જે પિતાનો હું પુત્ર છું, તે પિતાની તું પણ પુત્રી છે. પરંપરા જાળવવામાં સહાય કરવાની મારી સાથે તારી પણ ફરજ ખરી કે નહિ ?”
ખરી !” સુંદરી હાસ્યગંધ સ્ફુરાવતી બોલી. એ ગંધે ભરત ખીલી ઊઠ્યો, બોલ્યો :
તો સુંદરી ! મારા અરણ્ય જેવા સૂકા હૃદયપ્રદેશમાં તું ફૂલ ખીલવ. વસંતનું મધુ, યૌવનનું નવનીત લઈ મારું સ્વાગત કર. તારો એક શબ્દ મને પૃથ્વી જીતવાનું બળ આપશે. હું પૃથ્વી જીતીને, પિતાનું શાસન પ્રવર્તાવીને તારે ચરણે ધરીશ.’
-
સુંદરીએ – પ્રતાપી પિતાની પ્રતાપી પુત્રીએ - કહ્યું : ‘ભરત ! વિકારોનું પોષણ ને વિવેકની રક્ષા, બંને સાથે નહિ બને ! પૃથ્વી પર શાસન પ્રવર્તાવવા નીકળેલા ભરતને સૌંદર્યભરી સુંદરીએ પોતાનો રૂપદીવાનો બનાવી રોકયો– એ આક્ષેપ તારું ને મારું જીવંત મૃત્યુ આણશે. માટે જા, ચક્રવર્તી બનીને આવ ! ત્યાં સુધી હું તારી રાહ જોતી બેસીશ.'
પોતે પૂછ્યું : ‘ક્યાં સુધી રાહ જોઈશ ?
સુંદરી ઓષ્ઠ દબાવી, નિશ્ચયનું અમોઘ બાણ છોડતી હોય તેમ દૃઢ સ્વરે બોલી : અનંત કાલ સુધી વિજયશ્રીને વ૨ીને તું આવીશ ત્યાં સુધી !'
પછી પોતે કંઈ બોલી ન શક્યો. સુંદરીના મનહર અંબોડાનું એક રક્ત પુષ્પ લઈ વિજય માટે એ નીકળી પડ્યો. પછી યુદ્ધની નોબતો ને શંખભેરીએ એનાં હૃદય અને મનને વ્યાકુળ કરી દીધાં.
૪ * ભરત–બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org