________________
૨૬
અંતરવેદના
આંખમાં વેરનું વજ લઈને, મસ્તિષ્કમાં ઝેરનું ભાથું ભરીને, હૃદયમાં કુટિલતાની કટાર સાચવીને વડવાનળ જેવાં રાણી સુભદ્રા અયોધ્યાના રાજદરબારમાં પ્રવેશ્યાં. પણ અહીં તો એમને નવો જ અનુભવ થયો !
શાંતિના સમીરમાં લહેરાતા, પ્રેમના સાગરમાં નહાતા બંને બંધુ સિંહાસન ૫૨ જોડાજોડ બેઠા છે.
એક સૂરજનો અવતા૨ે !
એક સોમનો અવતાર !
બંનેનાં મુખડાં મરક મરક થઈ રહ્યાં છે.
મહારાણીને આવતાં જોઈ રાજા બાહુબલ વિનયથી ઊભા થઈ રહ્યા, ને અભિવાદન કર્યાં.
રાણીએ એ અભિવાદન ન ઝીલ્યાં, જરા તુચ્છકારની નજરે તેમને નિહાળી
લીધા.
સૂરજ જેમ અંધકારને ગળી જાય, એમ આ અપમાનને ગળી જઈને રાજા બાહુબલે થોડા ખસીને સિંહાસન પર જગ્યા કરી.
રાણી રોફમાં સિંહાસન પર બેસી ગયાં.
બાહુબલ આગળ હાથ જોડીને ઊભા રહ્યા, પણ ભરતદેવે જરા ખસીને જગ્યા કરી, ને બાહુબલને હાથ પકડી બેસાડી દીધા.
અપૂર્વ દશ્ય રચાયું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org