________________
ભગવાન વૃષભધ્વજની આણ ! અરે, લાવો રાજહસ્તી ! વગાડો આનંદનાં દુંદુભિ....અયોધ્યાને આજે સાચો સ્વામી સાંપડ્યો.’ ભરતદેવે કહ્યું. પણ આ વાતે સેનામાં જરા કચવાટ ઊભો કર્યો. સહુને લાગ્યું કે ભરતદેવ રાજા તરીકે થોડા કાચા છે. આવું ઢીલાપણું તે હોય ? સિંહાસન તે કંઈ રમકડું છે, ને રાજ તે કંઈ એવી તુચ્છ ચીજ છે, કે કોઈનું મન રાજી કરવા સુખેથી આપી દેવાય ?
પણ પળ એવી હતી કે કોઈથી કાંઈ બોલી શકાય તેમ નહોતું. મને કે કમને સહુ વશ થયા.
એક પ્રચંડ ગજરાજને યુદ્ધભૂમિ પર લાવવામાં આવ્યો. ત્યાં તો બાહુબલે નાના બાળકની જેમ કહ્યું :
ભરતદેવનો હું નાનો ભાઈ છું. મને બે હાથે ઊંચકીને ખોળામાં લઈ ને મોટાભાઈ હાથી પર બેસે. અને એ રીતે દરબારમાં લઈ જાય, ને સિંહાસન પર બેસાડે.’
ભરતદેવ ઉમળકાથી આગળ આવ્યા ને બોલ્યા :
‘વાહ વાહ ! આનાથી રૂડું શું ?’
એમણે બાહુબલને બાહુમાં ઊંચકી લીધો; લઈને હાથીને હોદ્દે ચઢ્યા ! યુદ્ધ કરવા આવેલી સેના આ વરઘોડાનું સાજન-માજન બની ગઈ. યુદ્ધપ્રેરક વાજિંત્રો મહોત્સવના વાજિંત્રો બનીને મીઠાં મીઠાં વાગવા લાગ્યાં ! સૂર્ય અને સોમ જાણે પૃથ્વી પર આવ્યા !
ગજે ચઢીને બંને બાંધવ અયોધ્યામાં આવ્યા !
અયોધ્યાની પ્રજામાં આ વખતે ખુલ્લા બે ભાગ પડી ગયા : એકે ભરતદેવને વધાવ્યા, એકે બાહુબલને !
કેટલાક સામંતોએ ખુલ્લંખુલ્લા કહ્યું :
‘રાજ્ય એ કાંઈ માટીનું રમકડું નથી, કે જેને તેને ભેટમાં આપી શકાય. આવી બાલચેષ્ટા અમને સર્વથા નાપસંદ છે !’
Jain Education International
For Private & Personal Use Only
યુદ્ધ પૂરું થયું * ૧૮૧
www.jainelibrary.org