________________
ભરતદેવમાં આ સ્નેહ-સામર્થ્ય ક્યાંથી આવ્યું ? કે પછી દુનિયાને દેખાડવાની આ બધી વચના?
બાહુબલ! બંધવ !” ભરતદેવ આગળ ન બોલી શક્યા. એમની આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વરસી રહ્યો.
‘ભાઈ, મને માફ કરો, મારી અધીનતા સ્વીકારો !” બાહુબલ બોલ્યા.
હું તો તારે આધીન જ છું, બાહુબલ ! કોની આધીનતા સ્વીકારવાની અને શી વાત ?'
એમ મને નાનો સમજીને સમજાવી દેશો મા ! એક વાર તમારે મુખે એમ કહો કે મેં તારી માગણી સ્વીકારી.” બાહુબલના મોંમાં એક જ રટણ હતું. એ આગળ બોલ્યા :
“ધન્ય છે તમારી મહાનુભાવતાને ! તમે તમારું મોટાભાઈ તરીકેનું પદ સાર્થક કર્યું, સેન્યયુદ્ધને બદલે જાતે લડવાનું પસંદ કર્યું. લડતી વખતે પણ નાનાભાઈને મોટાભાઈ રમાડે એમ જ તમે લડ્યા.” બાહુબલ ધ્રુસકે ધ્રુસકે રડી - પડ્યા.
ભરતદેવ બોલ્યા : “ભાઈ ! ધિક છે મારી મહાનુભાવતાને ! તું નાનો ભાઈ હતો. કદાચ તું બે વેણ આડાંઅવળાં બોલ્યો હોય તો મારે દુઃખ લગાડવાનું ન હોય ! રે ! સારું થયું કે મારું ચક્રરત્ન પાછું ફરી ગયું, નહિ તો કેવો ગજબ થઈ જાત ! મારી દુષ્ટતાની તો કોઈ સીમા છે? મેં ચક્રરત્નને નિષ્ફળ જતું જોઈ, તને મારવા મુષ્ટિ ઉગામી, તું તો લઘુ બંધુ છે, પણ હું તો લઘુ જીવ નીકળ્યો. તું માગે તે આપવા તૈયાર છું.'
અયોધ્યા માર્ગે તો?' બાહુબલ બોલ્યા. ‘હાજર છે; ભરતદેવ બોલ્યા. એમના કંઠમાં આદ્રતા હતી. ‘હું સિંહાસન માગું તો?.....' “તૈયાર છે. હું જાતે અભિષેક કરીશ.' “હું આજ્ઞા ચલાવવા ચાહું તો?....
આખી સેના તૈયાર છે.' ભરતદેવ બોલ્યા. “અને આપ ?” બાહુબલે પૂછ્યું.
“હું તો તારાથી જિતાયેલો જ છું. તું રાજા, હું સેવક છું! તું આજ્ઞા આપે એ મારે પાળવાની!”
મારી આજ્ઞા અન્યથા ન થવી જોઈએ, રાજન ” બાહુબલ પાકું કરી રહ્યા.
૧૮૦ ભરત–બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org