________________
ભરતદેવના મુખમાંથી ગુંજેલો શબ્દ બાહુબલના મસ્તકને સ્પર્શી રહ્યો. કોઈક શબ્દોમાં સંજીવની વસતી હોય છે, કોઈકમાં આગ !
બાહુબલના ઉશ્કેરાયેલા મગજ પર, થીજી ગયેલી વિવેકશક્તિ પર, આ શબ્દો સંજીવનીની જેમ પડ્યા :
ભગવાન વૃષભધ્વજ ! ‘તારું કલ્યાણ હો, બાહુબલ !
ભાઈ ! તારું કલ્યાણ હો!”
દર આવતાં ફણીધર ફણા સંકેલી લે, એમ વિવેક આવતાં શુભ્ર વિચારનો સ્રોત ગ્યો :
અરે ! કોણ પિતાનો હું પુત્ર ! ‘ક્યું મારું કુળ ! કોણ મારા પિતામહ-માતામહ !
‘રે બાહુબલ ! તું વિવેક ભૂલ્યો ! ઉદારતા ભૂલ્યો ! જન્મજાત સંસ્કારિતા ભૂલ્યો !
શા માટે ભૂલ્યો ? એક નાની-નાની વાત માટે!
જે જન્મથી લઘુ તરીકેનો ખિતાબ લઈને જન્મ્યો હતો, એવા મેં ખરેખર ! પોતાની લઘુતા બતાવી લઘુપદ સાચું ઠરાવ્યું ! ધિક્કાર હજો મને ! હવે તો મોટા થવાનો તારો કયો અધિકાર રહ્યો? ભરતને સંહારીશ તોય લઘુનો લઘુ રહેવાનો !
‘ને મૂરખ ! ભાઈને મારીને, બંધુહત્યા કરીને મેળવેલું રાજ તને હૃદયશૂળની જેમ નહિ સાલે ? તક્ષશિલા જેવી પુણ્યભૂમિમાં પાપની વેલ તું નહિ ઉગાડે ?
જે પિતાએ તૃણની જેમ રાજ્ય કર્યું, જે પિતાએ રજની જેમ સુવર્ણરજત તજ્યાં, એનો જ પુત્ર એક માત્ર નાના-મોટાપણાના હુપદમાં આ સર્વનાશ સરજે ?
પાછી ખેંચી લે તારી વજમુષ્ટિ ! શાંત કરી લે તારી વક્રદૃષ્ટિ !
જે હાથથી બંધુને ભેટવાનું હોય, એ હાથનો આ ઉપયોગ ? પિતાજી કહેતા હતા કે, પૃથ્વીનું મંડાણ પ્રેમ, અર્પણ ને ઉદારતા પર છે. એ બધાંય એક સામટાં તેં તજ્યાં ?
બાહુબલ ! આ દુષ્ટ બુદ્ધિ આપનાર તારા મસ્તકને ફોડી નાખ, તોડી નાખ !” ૧૭૮ ભરત–બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org