________________
બચાવો ! બચાવો!
ભયંકર ગર્જના, ભયંકર કડેડાટો ચારેતરફ પ્રસરી રહ્યા. વજમુષ્ટિ ઉગામી રહેલા બાહુબલે દાંત કચકચાવ્યા ! લીલા લાકડા પર કરવતી ચાલે એવા અવાજ જાગ્યા.
એક પળનો આ ખેલ હતો. એક પળમાં દુનિયા બગડવાની હતી; એક પળમાં બનવાની હતી.
પણ ભલા ભરતદેવને તો નિહાળીએ ! આ વખતે એ શું કરતા હતા ? કેમ ઊભા હતા ? એમના મોં પર કેવા ભાવ હતા ?
ભાવની શી વાત કરવી? ભરતદેવ પ્રસન્ન મધુર ચહેરે બરાબર વજમુષ્ટિની નીચે મસ્તક રાખીને ઊભા હતા. મુખ પર મૃત્યુની મહેમાની માણવા જવાનો આનંદ હતો. રૂંવાડામાં પણ કંપારી નહોતી, ભય નહોતો, પહાડની જેમ અડોલ એ ઊભા હતા.
મરકતા મુખે ચક્રવર્તી ધીરુ ધીરુ ગુંજતા હતા :
જય હો ભગવાન વૃષભધ્વજનો ! બાહુબલ ! મને ક્રોધ આવ્યો. યુદ્ધમાં જેને ક્રોધ વ્યાપે તે હાર્યો, એમ પિતાજી કહેતા. ધર્મયુદ્ધમાં તો ક્રોધ અને દોષને નિવારવાના હોય. શરત આપણા બેના વંદયુદ્ધની હતી, ને તારા પર ચક્ર છૂટું મુકાયું; એ ભારતની પ્રજાની હાર. અને ભરતપ્રજાની હાર એટલે તારી જીત !.
વાહ રે બંધવા બાહુબલ !
“મારા સામંતોએ ચક્ર છૂટું મૂક્યાની ભૂલ કરી, એનાથી સવાઈ ભૂલ મેં તને મુષ્ટિપ્રહાર કરીને કરી ! તું સાચો વિજેતા ઠર્યો. હવે તારો અધિકાર છે કે, જિતાયેલા એવા મારો નાશ કરે ! મારા જેવા આતતાયીને પૃથ્વીના પાટલેથી દૂર કરે !
આહ ! જીવનથી મોત કેટલું મીઠું ! હે ભરત ! રાજા થઈને તારે તારા મન વિરુદ્ધ ઘણું કરવું પડતું હતું. આજ તું છૂટ્યો! આજ તું મુક્ત !
ઓહ બંધવ! સંસાર જીતીને આવ્યો ત્યારથી શાંતિની, આનંદની, મનમોજની પળ જોઈ નહતી ! હાશ, આ તારી વજમુષ્ટિમાં મારી શાંતિનો સાગર લહેરાઈ રહ્યો છે.
બાહુબલ ! ભાઈ ! તારું કલ્યાણ હો ! ભગવાન વૃષભધ્વજનો જય હો ! જય હો વૃષભધ્વજનો ! જય હો વૃષભધ્વજનો !
યુદ્ધ પૂરું થયું ૧૭૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org