________________
દિશાઓને બહેરી બનાવતો એક નાદ ઊઠ્યો : રે પૃથ્વીના પ્રથમ ચક્રવર્તી ભરતદેવનાં સોએ સો વર્ષ આજ પૂરાં સમજો ! પખંડ સનાથ પૃથ્વી હવે ઘડી બે ઘડીમાં અનાથ બની જશે. અયોધ્યા આજ રંડાઈ જશે !
હે આકાશવાસી દેવો ! તમે ઊભા ઊભા શું જુઓ છો ? થંભાવો આ સર્વનાશને, રોકી દો જગત પરના આ ઘોર અંધકારને !
ક્યાં છે પેલા વિષ્ટિકાર દેવો ! આવો, જલદી આવો ! આ પ્રકારની લડાઈની યોજનાના મૂળમાં તો તમે જ છો. અરે ! લાખલાખની સેના અને તેનો વાંધો નથી, પણ જગતનો આ મહાન માનવી આજે મોતની સમીપ છે.
ઓહ ! દૃશ્ય જોયું જોવાતું નથી ! આ નીચે ઊતરી વજમુષ્ટિ ! પળવારમાં પૃથ્વી પર ઘોર અંધકાર વ્યાપ્ત થઈ જશે !
વિષ્ટિકાર દેવો! વિલંબ ન કરો. ક્ષણ ક્ષણ લાખેણી જાય છે, પળનો પણ વિલંબ પોસાય તેમ નથી !
લોકોના આ પોકારો છતાં, આ બધો વિગ્રહ શમાવવા કોઈ આગળ આવતું નથી. સૂરજને ઓળખાવવા દીવો ક્યાંથી આણવો?
આખરે લોકોએ પોકાર પાડ્યો – આ પૃથ્વીના આદિ રાજવી ભગવાન વૃષભધ્વજને :
આવો, ઓ પ્રેમાવતાર ! કરુણાના સાગર ! સંસાર પર તમે જ પહેલી રાજસંસ્થા સ્થાપી, રાજનું સર્જન કર્યું. રાજાનું નિર્માણ કર્યું.'
‘એ વિશ્વવત્સલની આયોજનામાંથી જ આજે આ આગ ફાટી નીકળી. ન રાજસંસ્થા સ્થપાણી હોત, ન આ હેયાહોળી સળગી હોત ! અલબત્ત, આપે રાજની કલ્પના કરી, તો ભરતદેવે મહારાજ્યની સ્થાપના કરી ! આપે રાજાની પ્રતિમા ઘડી, તો ભરતદેવે ચક્રવર્તી રાજા જન્માવ્યો. પણ માર્ગ તો આપનો ચીંધેલો જ છે. માટે ઓ મહાપ્રભુ ! ઉદારતાની એક ધારા, નિઃસ્વાર્થતાનો એક નાદ આપના આ બંને પુત્રોનાં દિલમાં પ્રગટાવો, ને પૃથ્વીને નાશ પામતી બચાવો. ભરત-બાહુબલીનું ને બંધુહત્યાનું કલંક પૃથ્વી પર પ્રગટતું રોકો !
વ્યર્થ હતો આ આલાપ-વિલાપ ! ભગવાન વૃષભધ્વજ કંઈ સમીપમાં નહોતા. વળી રાજ છોડ્યા પછી એ તો રાજની તથા કે કથા કદી ન કરતા.
ઓ પડી વીજળી !
ઓ ચિરાઈ પૃથ્વી ! ૧૭૬ ભરત–બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org