________________
જે રાજ માનવતા ભુલાવે, એ રાજથી શું ? જે સિંહાસન કેફ કરાવે એ સિંહાસનથી શું ?
“રે! અમે બે ભાઈઓએ અમારા મમત્વમાં દુનિયાને કેવી દુઃખી, ત્રસ્ત ને હીન કરી નાખી! આખું ભૂમંડળ કેટલું ત્રસ્ત કરી નાખ્યું ! અમારાં વાવેલાં આ ઝેરી બીજ અંકુર થઈને ફૂટશે ! એનાં વૃક્ષ થશે ! એનાં ફળ ઊતરશે ! એ ફળ જે ચાખશે, એ અમારી જેમ ભૂમંડળને ફરી સ્વાર્થથી, અભિમાનથી દૂષિત કરશે !”
બાહુબલની નજર, જે ભરતદેવના મસ્તક પર મંડાણી હતી, એ પોતાની અડધે અટકેલી મુકી પર મંડાઈ ગઈ.
જાણે વીજળી આભમાંથી પડતી અડધે થંભી ગઈ.
૧૭૪
ભરત–બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org