________________
પણ આ પૃથ્વીને હજી કરુણ દશ્ય જોવાં લખ્યાં હશે. ભરતદેવની મુષ્ટિના પ્રહારની પૂરી કળ વળે ન વળે, એ પહેલાં તો બાહુબલ ભૂતાવેશવાળા માણસની જેમ ધૂણી ઊઠ્યા. એમણે થોડાંક ડગ પાછાં ભર્યા, પાછા ફરીને આગળ દોટ દીધી; છલાંગ મારીને ભરતદેવની સમીપમાં જઈ ઊભા.
એમણે ભયંકર વેગથી મુક્કી ઉગામી, જેટલી ઊંચી ઉગામી શકાય તેટલી ઊંચી ઉગામી. અને તેટલા જ વેગથી નીચે ઉતારી.
એક પળ, અડધી પળ. એક વિપળ, અડધી વિપળ.
ને સંસારના ઇતિહાસનું પાનું હજારો શૂરાઓના રક્તથી ધોઈએ તોય સ્વચ્છ ન થાય, એવું કલંકિત બની જાત ! સંસારનાં સમસ્ત સ્ત્રી-પુરુષોનાં આંસુ ને વેદના જેને રજ પણ ઓછી ન કરી શકે, એવી વેદનાથી ભૂમંડળ ભરાઈ જાત !
પણ ખરી પળે બુઝાયેલો વિવેકનો દીપ ઝગમગી ઊઠ્યો.
બળવાન બાહુબલના અંતરમાં એક વંટોળ જાગ્યો; એક પ્રેરણા પ્રગટી; એના અંતરાત્માએ પોકાર કર્યો :
ક્રોધ નિર્બળતાની નિશાની છે. ‘રે ! હું ભાઈને ક્રોધથી સંહારું છું ! ‘દુર્બળ માણસ ક્રોધને વશ થાય. સાચો સબળ માણસ ક્રોધને જીતે.
‘ભાઈ ભરત રાજમોહથી નિર્બળ બન્યો! એણે નિર્બળ બનીને મુક્કીનો પ્રહાર કર્યો. એ નિર્બળને હવે હું મારા આચરણ દ્વારા સબળ બનાવવા ચાલ્યો છું ? એ હારેલાને હું સામે ચાલીને જીત આપી દઉં છું? ના ના ! એમ ન બને !”
બાહુબલે ઉપાડેલી મુક્કી અડધે આવીને થંભી ગઈ. આકાશમાં જાણે ત્રિશંકુ તોળાઈ રહ્યો.
અને વિવેકનો દીપ સહસ્ત્ર શિખાએ ઝગમગી ઊઠ્યો. એનું અંતર જાણે આક્રંદ કરી રહ્યું :
‘ધિક બાહુબલ તને ! તેં પિતાને જાણ્યા નહિ ! તેં માતાને જાણી નહિ !
‘તેં ભાઈ ને પિછાણ્યો નહિ!ને શુદ્ર મોટાઈએ, ક્ષુદ્ર માટીના સીમાડાઓએ, તને તણખલાથી પણ હીન બનાવ્યો !
લડે ભરત ને બાહુબલ ૧૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org