________________
કલાકારીગરીવાળા કેશપાશ ગૂંથ્યા. પછી નાની કામઠીઓ ધારણ કરી અને રણમેદાન તરફ વહી નીકળી.
આ કામઠીઓ તે દેખાવ માત્રની હતી, પણ પોતાનાં રૂપાળાં અંગોની કામઠીઓ કરી તેઓ નયનનાં તીર ચલાવવા લાગી, નવા યુદ્ઘપ્રકારના કારણે અયોધ્યાના સૈન્યમાં અસંતોષ પ્રસરેલો હતો જ, એમાં આ રૂપવાદળીઓ જેવી સુંદરીઓએ પાનો ચઢાવ્યો.
ચક્રરત્નના અધિનાયક સામંતોના ક્રોધનો પાર નહોતો. તેઓએ સ્પષ્ટ જાહેર કર્યું કે -
-
‘કાલે ગદા યુદ્ધ છે. જો ચક્રવર્તી હાથે કરીને હારી જશે, તો અમે ચક્રરત્નનો પ્રયોગ કરીશું. જો માત્ર બે ભાઈઓએ યુદ્ધ ખેલવું હતું, તો આ પ્રકારની સૈન્યની જમાવટ કરવાની કોઈ આવશ્યકતા નહોતી ! આ તો ઋષભશાસનની અધિકારિણી અયોધ્યાના રાજસિંહાસનની આબરૂનો પ્રશ્ન છે. દરિયો ત૨ના૨ ખાબોચિયામાં કદી ડૂબી ન શકે. હવે આજનો દિવસ જોવાનું છે. નહિ તો સંધ્યાકાલે યુદ્ધનો સમસ્ત દોર અમે હાથમાં લઈશું. એકલું ચક્રરત્ન જ આખા તક્ષશિલાના રાજનો નાશ કરવા સમર્થ છે.’
સુંદરીઓને આ શબ્દોથી સંતોષ થયો. તેઓએ આખો દિવસ આખી સેનામાં અંગનાં તીરો વરસાવ્યાં, ને સહુને અભિભૂત કરી લીધા. અને પોતાની વાતનો વિરોધ કરનારની હામ લૂંટી લીધી.
યોગ્ય સમયે ગદાયુદ્ધનો આરંભ થયો.
અનેક યુદ્ધોમાં વિજય મેળવનાર બાહુબલ મેદાન પર દેખાયા, કે અયોધ્યાની સેનાએ દાંત કચકચાવ્યા ! આજની સંધ્યા એ બાહુબલની જીવનસંધ્યા હતી ! એ હારે કે જીતે......બંને રીતે આજ એને ખતમ થવાનું હતું ! સાંજનું આકાશ એને માટે અફર ભાગ્યલેખ લઈને ઊગવાનું હતું !
ચક્રવર્તી મેદાન પર આવ્યા. એમના હાથમાં પ્રચંડ ગદા હતી. આ ગદાથી એમણે વિંધ્યાચલનાં બિડાયેલાં વજદ્વાર ખોલી નાખ્યાં હતાં. આ ગદાના પ્રહારથી અનેક પહાડોને ખંડિત કરીને સમતલ ધરા બનાવી દીધી હતી.
ચક્રવર્તીએ ગદાને હવામાં વીંઝી. હવામાં એક વાવાઝોડું જાગ્યું. બાહુબલે પોતાની ગદાને પણ વેગે ચઢાવી.
બે પળમાં તો હવામાં જબ્બર સુસવાટ જાગ્યો. હજારો નેત્રો એ ભયંકર શસ્ત્રો પર મીટ માંડી બેઠાં.
૧૭૦ * ભરત–બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org