SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ સામંતમંડળ આગળ દલીલ કરી શક્યું નહિ. તેઓ શું થાય છે, તે જોતા રહેવાનો નિશ્ચય કરીને પાછા ફર્યા. આ સમાચાર સૈન્ય શિબિરોમાં પથરાયા ત્યારે સહુને આશ્ચર્યના આઘાત લાગ્યા. વિષ્ટિકારો થોડી વારે તક્ષશિલા તરફથી પાછા આવ્યા; વળી પાછા ગયા; એમ ચારેક વાર બન્યું. ન વિષ્ટિકારો વિષ્ટિમાં સફળ થયા હતા : રાજા બાહુબલે પણ જાતયુદ્ધનો પ્રકાર વધાવી લીધો. ન સૈન્ય લડે, ન એનાં શસ્ત્ર લડે—લડે ભરત ને બાહુબલ. આકાશમાં વીજળી ઝગે ને તરત અલોપ થઈ જાય, એટલી ઝડપથી યુદ્ધનું સ્થળ નક્કી થયું. યુદ્ધના પ્રકાર નક્કી થયા. યુદ્ધના નિરીક્ષકો પણ નક્કી થયા. ને યુદ્ધ આરંભાયું. પહેલું દૃષ્ટિયુદ્ધ. એમાં બાહુબલ જીત્યા, ભરતદેવ હાર્યા. પણ વાહ રે, સંસારવિ૨લ બાંધવો ! યુદ્ધ પૂરું થયે નાનો ભાઈ મોટાભાઈના ચરણનો સ્પર્શ કરી પાછો ફરી ગયો. બીજો દિવસ ઊગ્યો ને બીજું યુદ્ધ વાયુદ્ધ શરૂ થયું ! એ જ થનથનાટ, એ જ તનમનાટ ! એ જ ઘટાટોપ ! એ જ ખાધા કે ખાશેનો ફૂંફાડો ! નમતી સંધ્યાએ નિરીક્ષકોએ જાહેર કર્યું કે, બાહુબલ જીત્યા, ભરતદેવ હાર્યા. ભરતદેવ આગળ વધ્યા, નાનાભાઈને અભિવાદન આપ્યા. નાનાભાઈ એ નમન કર્યાં. ત્રીજું યુદ્ધ જલયુદ્ધ ! એય આવ્યું ને ગયું ને ચક્રવર્તી એમાંય હારી ગયા ! આખી અજેય અયોધ્યા આ સમાચારે ખળભળી ઊઠી : રે જગતવિજેતા એક સામાન્ય રાજવી પાસે કેમ હારે ? ન બને ! ન બની શકે ! આનો અર્થ એ કે કાં તો યુદ્ધ બરાબર નથી, અથવા યુદ્ધ ખેલનાર બરાબર ખેલતા નથી. અથવા ચક્રવર્તી નાના ભાઈને લાડ લડાવી રહ્યા છે. રે ! મોટા માણસોના મનતરંગમાં આ તો અજેય અયોધ્યા પર કોઈ દિવસ ન લાગી હોય તેવી કાલિમા લાગી રહી છે. અયોધ્યાની સુંદરીઓ આ વર્તમાન શાંતિથી સાંભળી ન શકી. તેઓએ પોતાના દેહ પર જુદી જુદી જાતનાં વસ્ત્ર અને અલંકાર સજ્યાં. અદ્ભુત લડે ભરત ને બાહુબલ * ૧૬૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004518
Book TitleBharat Bahubali
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy