________________
બહાર નીકળ્યા અને વળી તેમની નોકા બીજી વાર તક્ષશિલા તરફ જતી જોવાઈ.
તેઓએ દોડીને અયોધ્યામાં સમાચાર આપ્યા કે વિષ્ટિકારો બંને બાજુ દોડાદોડી કરે છે. તરત અયોધ્યાની સ્ત્રીઓ સાવધ થઈ. અરે ! આ પુરુષો ક્યાંક કોઈની ચતુરાઈમાં ફસાઈ ન જાય ! કામદેવની કળા તો અમે જ સમજીએ. શાંત જળની ઊંડાઈ માપી ન શકાય. સ્ત્રીઓએ પોતાના સુંદર વક્ષસ્થળો જેનાથી ઢાંક્યાં હતાં, એ કમળપત્ર પર પોતાના રક્ત કુંકુમથી સંદેશા મોકલ્યા :
રે રણશૂરાઓ ! પાછા ન ફરશો. જીતશો તો મીઠી મીઠી પૃથ્વી ભોગવશો. રણમાં મરશો તો સ્વર્ગની અપ્સરાઓ મળશે. બેય વાતે રણમાં લડનારને લાભ છે.”
કમળપત્રના આ સંદેશા બધે પહોંચ્યા. પણ લડાઈનો રંગ તો દિનપ્રતિદિન ફિક્કો પડતો ચાલ્યો.
ચક્રવર્તી ભરતદેવે ન ધનુષ્યનો ટંકાર કર્યો, ન રણભેરી ગજાવી. રંગ જ બધા વિરંગ બન્યા.
ચપટી વગાડી એ એટલી વારમાં યુદ્ધ આવતું લાગ્યું ને એટલી જ વારમાં યુદ્ધ સમેટાઈ જવા પણ લાગ્યું !
અયોધ્યાની સેના તો હમચી ખૂંદી રહી હતી. કોઈના મગજમાં તક્ષશિલાનું સોનું-રૂપું, તો કોઈના દિલમાં ત્યાંની તીખી-મીઠી તરુણીઓ રમી રહી હતી. અરે ! કદમ ઉઠાવ્યા તે ઉઠાવ્યા; હવે વળી બાંધછોડ કેવી? - શૂરા સામંતોનું એક પ્રતિનિધિમંડળ ચક્રવર્તીને મળ્યું. તેઓએ વિનંતી કરી, કે સ્વામી ! આપે જે નક્કી કર્યો તે યુદ્ધનો પ્રકાર નથી. રાજનીતિ તો કહે છે : લાખ ભલે મરે, પણ લાખના પાલણહારને ઈજા ન થવી જોઈએ.
ચક્રવર્તી બોલ્યા : “વફાદાર પ્રજાજન તરીકે તમારી વાત યોગ્ય છે; તમને શોભા આપે એવી છે. પણ સામે હું મારી વડાઈ ન દાખવે તો મહાન પ્રજાનો અધમ સ્વામી કરું. લાખ મરે એના કરતાં એક મરે, એ શું ખોટું ?”
સામતમંડળ બોલ્યું : “અમે હાજર હોઈએ અને આપ લડો, એ ઠીક નથી લાગતું.'
એટલે શું તમને તમારા સ્વામીની વીરતામાં અંદેશો છે ?' ‘ના સ્વામી, ના. ભરતદેવને હરાવનાર તો હજી જણનારી જણે ત્યારે.'
તો મારા રા સામંતો ! મારા માર્ગે મને જવા દો. આખરે હું ભગવાન ઋષભદેવનો પુત્ર છું.' ચક્રવર્તી બોલ્યા. ૧૬૮ ભરત–બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org