________________
૨૪
લડે ભરત ને બાહુબલ
અયોધ્યાના નીલાંબર અવકાશમાં ચઢીને સુંદરીઓ યુદ્ધસ્થલી તરફ નીરખી રહી હતી. યુદ્ધના આરંભનો સમય થઈ ગયો હતો. પળેપળ તેઓ ગણી રહી હતી. છતાં આકાશમાં યુદ્ધનો આરંભ થવાનાં કોઈ ચિહ્નો દેખાતાં નહોતાં.
ન બીકણ પંખીઓની નાસભાગ જોવાતી હતી, ન માંસ-લોભી પંખીઓનું સમૂહમાં એકત્ર થવું દેખાતું હતું.
દૂર દૂરથી હવા હાયકારા લઈને આવતી નહોતી, ને આકાશ પણ લાલ રંગે રંગાયું નહોતું.
અયોધ્યાની સ્ત્રીઓએ એકત્ર થઈ, તેઓએ પાંચેક હિંમતવાન સ્રીઓને સશસ્ત્ર કરી, અને અશ્વ પર ચઢાવી રણમેદાન પર મોકલી. સાથેસાથે સૂચના આપી કે, મેદાનની આસપાસ ફરીને વર્તમાન લઈ આવતા અયોધ્યાના પુરુષોની નજરે ન પડવું, નહિ તો તેમનો ઉશ્કેરાયેલો સૌંદર્ય-જુસ્સો તમને પાછી ફરવા દેશે નહિ ! આ સ્ત્રી સવારોએ પોતાનું કામ બહુ સારી રીતે બજાવવા માંડ્યું. તેઓએ ગંગા નદીની આજુબાજુ ફરીને સમાચારો એકત્ર કરવા માંડ્યા. ત્રીજા દિવસનું પ્રભાત પણ થયું. ચક્રવર્તીએ શુદ્ધિવ્રત પણ સંપૂર્ણ કર્યું. ત્યાં વિષ્ટિકારોની નૌકા ગંગામાં તરતી દેખાઈ. એ નૌકામાંથી ઊતરેલા બે વિષ્ટિકારો ચક્રવર્તીના શિબિરમાં પ્રવેશ કરતાં નજરે પડ્યા. થોડી વારે તેઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org