________________
‘આપે તો બધી ચર્ચા કરી હશે. આપ જેને માત્ર આધીનતા—સ્વીકારનું યુદ્ધ કહો છો, એ અત્યારે સ્વાર્થસાધનાનું યુદ્ધ બન્યું છે. આપ જાણો છો, કે રાજા જો સેવકને કોઈ વૃક્ષનાં બે ફળ તોડવાનો હુકમ કરે, તો સેવકો આખું વૃક્ષ તોડી પાડે છે.’ વિદ્યાધરોએ કહ્યું.
ભરતદેવ આ વખતે વ્યગ્ર થઈ ઊઠ્યા. રાત્રિનું દૃશ્ય એમની આંખ સામે આવી ઊભું રહ્યું. થોડી વારે એ બોલ્યા :
વિદ્યાધરો ! યુદ્ધનો મારો ઉત્સાહ માત્ર હું જ જાણું છું, પણ રાજા સહુથી વધુ પરતંત્ર છે. હું યુદ્ધમાં નથી માનતો. માણસનાં અંતર અત્યારે સ્વાર્થ ને વાસનાથી લડી રહ્યાં છે, ત્યાં હું આ નવી હૈયાહોળી કેમ જગાવું ? હું સંસારમાં વરુનું અને ઘેટાનું રાજ્ય ઇચ્છતો નથી. વધુ એક રીતે પાપ કરે છે; ઘેટાં બીજી રીતે પાપને જન્માવે છે. એક વિચાર મારા મનમાં ઊગે છે ઃ લડાઈ અમારા બે વચ્ચેની છે; અમે બે જ લડીએ.’
ચક્રવર્તીદેવે સાવ નવી વાત મૂકી. વિષ્ટિકારો ક્ષણવાર વિચારમાં પડી ગયા; થોડી વારે બોલ્યા :
‘આપ બે જ લડો, એમ ને ?’
હા. અમે બે લડીએ, જે પરાશ્તિ થાય, એ હાર્યો ગણાય. જે જીતે એ મોટો, એ ચક્રવર્તી !’
‘આપ અમારી મશ્કરી તો કરતા નથી ને ?” વિષ્ટિકારો બોલ્યા. ‘હું મશ્કરી કરતો નથી. રાતથી મારા મનમાં વિચારોનું વાવાઝોડું જાગ્યું છે. તમે એને માર્ગ આપ્યો. જાઓ, બાહુબલને મળો ને સંમતિ લાવો. હું તૈયાર છું !’ ધન્ય ! ધન્ય ! ભગવાન ઋષભદેવના પુત્રનું મહત્ પદ આપે શોભાવ્યું. આ તો આપે આપના પોતાના પગ પર કુહાડો ઉઠાવ્યો છે, દેવ !’
‘જ્યાં સુધી પગ પર કુહાડો ન પડે, ત્યાં સુધી ૫૨ની વેદના ન સમજાય. જાઓ અને સારા સમાચાર લાવો !’
વિષ્ટિકારો એક નવી માંગણી લઈને તક્ષશિલા તરફ ચાલ્યા. ભરતદેવ ઊઠીને મંત્રણાગૃહની બહાર નીકળ્યા.
ન સેના લડશે, ન હાથી લડશે; ફક્ત ભરત અને બાહુબલ વચ્ચે યુદ્ધ થશે નવી નવાઈની વાત ! લાખ લાખની સેના નહિ લડે; લાખની સેનાનો એક સેનાપતિ લડશે ! આજ સુધી આવી વાત કોઈએ કહી નથી, કોઈએ દીઠી નથી !
૧૬૬ * ભરત–બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org