________________
પોતાનું કથન શરૂ કર્યું. તેઓ જાણતા હતા કે છેલ્લી ઘડીની વિષ્ટિ કાર્યસાધક નીવડે, કે ન પણ નીવડે. તેઓને એવી પણ શંકા હતી કે કદાચ યુદ્ધ માટે સર્વથા સજ્જ ચક્રવર્તી એમની વાતોનો તિરસ્કાર પણ કરી નાખે.
પણ જ્યારે ચક્રવર્તી આસન પર શાંતિથી ગોઠવાયા, ત્યારે વિદ્યાધરોનો ર્વિષ્ટ માટેનો ઉત્સાહ વધી ગયો. તેઓએ પોતાનું વક્તવ્ય શરૂ કરતાં કહ્યું :
હે મહાભાગ ચક્રવર્તીદેવ ! અમે આપની સાથે વિષ્ટિ ચલાવવા આવ્યા છીએ. જોકે વિષ્ટિકાર પાસે સામા પક્ષની સમાધાનની શરત જોઈએ, પણ અમે સામા પક્ષને હજી મળ્યા નથી. અમે પૃથ્વી પરના યુદ્ધવિરોધી વર્ગ તરફથી સંદેશ લઈને આવ્યા છીએ ઃ આપ યુદ્ધ થંભાવો. માણસની ભૂખ જેમ સુવર્ણથી મટતી નથી, એમ આત્માની ક્ષુધા કદી યુદ્ધથી સંતોષાતી નથી.’
‘વિદ્યાધરદેવો ! હું તમારું સ્વાગત કરું છું, પણ તમે તમારી દૃષ્ટિ ગઈ કાલ પર રાખી વાત કરો છો. આજ પર દૃષ્ટિ કરો, તો મારું પગલું તમને યોગ્ય લાગશે. ચક્રવર્તીને યોગ્ય આધીનતા સ્વીકાર્યા વગર કોઈ આરો નથી. બાહુબલે મારા પરાક્રમને, મારી સેનાને, મારા ચક્રરત્નને તિરસ્કાર્યું છે !’
‘આપ મોટા છો.’ વિષ્ટિકારોએ કહ્યું.
‘એ નાનો છે. એને અધીનતા સ્વીકારવામાં નાનમ શી ?’ ચક્રવર્તીએ કહ્યું. ‘અંગત રીતે એ બધું કરવા તૈયાર છે, પણ ચક્રવર્તીની જબરદસ્તી સામે એ સહેજ પણ નમવા તૈયાર નથી.’
‘મારા પર પૃથ્વીનો બોજો છે. હું પ્રથમ ચક્રવર્તી છું. એટલે હું સામાન્ય જનની જેમ વિચારી, ઉચ્ચારી કે વર્તી ન શકું. મારો શબ્દ એ સંસારનું ભાવિ છે. મારું એક ડગલું યુગનું એંધાણ છે.’
‘એટલે જ અમે કહીએ છીએ કે યુદ્ધ થંભાવો ! તમે મીણ જેવાં માણસના મનને પથ્થર જેવાં કઠોર ન બનાવો ! આજ વિચારોમાં ભયંકરતા આવી છે. માણસ મરે એની ચિંતા નથી; એ તો ક્ષણભંગુર છે, પણ એના વિચારો ચિરંજીવી છે. ભયંકર વિચારો પૃથ્વીમંડળને દૂષિત કરી નાખશે; પછી તો વર્તનને કોઈ મર્યાદા નહિ રહે.' વિષ્ટિકાર વિદ્યાધરો બોલ્યા.
તમારી વાત સાચી છે. તમારા કરતાં મેં આ બાબતનો ખૂબ જ વિચાર કર્યો છે. મારે માથે શિરછત્ર ભગવાન ઋષભદેવની છાયા છે.પણ વિદ્યાધરો ! એક ચક્રવર્તી, જે દુનિયાને એક દોરમાં ગૂંથવા માગતો હોય, એ બીજી રીતે વર્તી ન શકે. ધર્મના નિયમો ને રાજના નિયમો જુદા છે.’ ભરતદેવે કહ્યું.
૧૬૪ * ભરતબાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org