________________
‘જે ભાઈબહેન એ પતિપત્ની નહિ; જે પતિપત્ની એ ભાઈબહેન નહિ '
આ સુધારો કે આવો જ બીજો કોઈ સુધારો આજે ચક્રવર્તીના રાજ્યમાં થઈ શકે નહિ, એ મોટો પ્રશ્ન હતો. પણ ચક્રરત્નના આ જમાનામાં એવી વાતોમાં કોઈને રસ નહોતો. તેઓની પાસે યુદ્ધશક્તિ હતી, ને જેઓ સાદી રીતે ન સમજે એને સમજાવવા માટે કારાગાર ને યુદ્ધનાં સાધનો તૈયાર હતાં.
આજના રાજકારણના પુરુષો ધર્મ અને રાજને જુદું પાડતા હતા. રાજકારણની રીત અનોખી છે; એમાં ધર્મનો તો સગવડિયો ઉપયોગ છે, એવું એ ખાનગીમાં કહેતા અને છતાં ગમે તેમ તોય, ઋષભદેવની પરંપરાને ઉવેખી ન શકતા. અને ખુદ ચક્રવર્તી એમાં શ્રદ્ધા ધરાવતા હોવાથી કોઈ જાહેરમાં કંઈ ન કહેતું. પણ આવા શુદ્ધિવ્રત તરફ ચક્રવર્તી સિવાય બીજા કોઈને ઝાઝો રસ નહોતો.
સૂરજદેવનાં સોનલવર્ણા કિરણોમાં સ્નાન કરવા ભરતદેવ બહાર આવ્યા. તેઓ તપ અને ધ્યાનથી નિવૃત્ત થયા હતા. એમણે ક્ષીરાન ભોજનથી પારણું કર્યું હતું. એમનું મુખ અવનવા તેજથી ઝળહળી રહ્યું હતું. અનુચરો પ્રચંડ ધનુષ્ય લઈને હાજર થયા.
ચક્રવર્તી મંત્રણાગૃહમાં ગયા. થોડા વખત પહેલાં જ તેમને ખબર મળ્યા હતા, કે વિષ્ટિ માટે વિદ્યાધર રત્નચૂડ ને મેરુપાળ આવ્યા છે.
કૂચ કરવા માટે થનગની રહેલ અયોધ્યાની સેનામાં આ સમાચારે નારાજી પ્રગટાવી : રે ! એક એક ઘડી યુગ જેવી વીતે છે, ચક્રરત્નનો વેગ વધી રહ્યો હતો, ને એના સહસ્ત્ર આરાઓ સૂર્યનાં બાલ કિરણોની હરીફાઈ કરી રહ્યાં છે, ત્યારે વળી આ શું?
અત્યારે વિષ્ટિકાર ? શા માટે ? સહુને વિષ્ટિકાર અણગમતા લાગ્યા. ભલે એય થોડો વખત બગાડી લે, પણ યુદ્ધ તો અવશ્યભાવિ છે. એમાં કોઈનાથી મેખ મારી શકાશે નહિ.
“કદાચ રાજા બાહુબલે આધીનતા સ્વીકારી લીધી હોય તો.....?' તક્ષશિલાના સુવર્ણ અને સૌંદર્યના લોભી સૈનિકોના દિલમાં હરણફડકો પેઠો.
તોય શું? હવે સમાધાન સ્વીકારવું જ નથી; લડી લીધે જ છૂટકો છે, સામંતવર્ગે સહુને આશ્વાસન આપ્યું.
સહુએ પગને ચાલતા થોભાવી, મનને ચાલતું કર્યું. વિષ્ટિની વાતોના પરિણામની સહુ ઉત્સુકતાપૂર્વક રાહ જોઈ રહ્યા. મંત્રણાગૃહમાં ચક્રવર્તી આવ્યા કે વિષ્ટિકારોએ સમુચિત વિવેક પછી,
વિદ્યાધરોની વિષ્ટિ ૧૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org