________________
કાઢતા, ને ગળે લગાડતા. ભગવાન ઋષભદેવના મોં ૫૨ માતાનું ને પિતાનું વાત્સલ્ય રમતું, ને ગુનેગારનાં નેત્રોમાંથી આંસુનો અવિરત પ્રવાહ વહી નીકળતો. ભગવાન ઋષભદેવની લોકહૃદય પર કેટલી મોહિની હતી, એ નીચેના એક જ દૃષ્ટાંતથી સિદ્ધ થઈ ચૂકી હતી.
આ સમાજમાં ભાઈબહેન સાથે જન્મતાં, સાથે રમતાં, સાથે જમતાં, સાથે જ સંસારની કાર્યધૂરા ઉપાડતાં. એ જ ભાઈ-બહેન, એ જ પતિ-પત્ની, એ જ માબાપ ! પેટ-ક્ષુધા લાગી તો એક ભાણે બેસી જમ્યાં; દેહ-ક્ષુધા લાગી તો એક સાથરે સૂતાં; અરે, જેનાં જન્મ-મૃત્યુ સાથે હોય એનાં જ બેલડાં બંધાય ને !
ભગવાન ઋષભદેવ એમાં ક્રાંતિ લાવ્યા. જો ઋષભદેવના બદલે બીજું કોઈ હોત, તો એની જીભ ખૂલે એ પહેલાં એ ક્યાંયે ફેંકાઈ જાત. લોકો એને જીવવા ન દેત. રાજપરિવર્તન સહ્ય છે, સમાજપરિવર્તન દુષ્કર છે. પણ અહીં તો કરુણાનિધિ પ્રેમાવતાર ભગવાન વૃષભધ્વજ સ્વયં હતા.
ભગવાને એમ કહ્યું કે જે ભાઈબહેન એ પતિપત્ની નહિ; જે પતિપત્ની એ ભાઈબહેન નહિ !
શું આ ભગવાન ઋષભદેવ બોલે છે ? અરે, દેહની નગ્નતા તો, જેની સાથે નાનપણમાં નાગા નાગા રમ્યા હોઈએ, એની સાથે શરમની વાત ન ગણાય. બાકી તો ક્યાંયનો ભાઈ ને ક્યાંયની બહેન – બંને જણાં પરસ્પરના દેહની લજ્જા કેમ પ્રગટ કરી શકે ? એના કરતાં તો મોત સારું !
–
ભગવાને કહ્યું : ‘આ રીતે કરો. તમારો સંસાર સ્વર્ગ થશે. તમારો દાંપત્યરસ વધશે. તમારાં સંતાન તેજસ્વી થશે, નીરોગી થશે. અને વધુમાં, આ રીતે અન્ય કુળો સાથે સ્નેહના અને લોહીના તંતુએ બંધાઈ, આખું વિશ્વ તમારું કુટુંબ થશે. તમે જ્યાં જશો, ત્યાં આદરભાવ ને અન્નજળ પામશો, લોહીના સંબંધો વેરભાવનો વિનાશ કરશે.’
રે ! ભગવાનની બધી વાત સાચી; એમાં શંકા હોય જ નહિ. પણ ક્યાંની બહેન ને ક્યાંનો ભાઈ – એ બંને જણા ભલે એકાંતમાં મળે, પણ જાતીય જીવન કેમ જીવી શકે ? કેટલાંક ભગવાનની આજ્ઞાથી એ રીતે પરણ્યાં ખરાં, પણ રાતોની રાતો સંકાચમાં વીતી ગઈ. એક આ બાજુ બેસી રહ્યો, બીજી પેલી બાજુ બેસી રહી. આખરે શ્રદ્ધાધન પ્રજા એ પ્રકારે ટેવાઈ ગઈ. અલબત્ત, પ્રથમ મિલનમાં પરસ્પર પ્રગટતી લજ્જાનો પ્રકાર તો હજુ આજનાં દંપતીઓમાં પણ રહી ગયો છે. પણ પછી તો લોકનીતિ જ એવી નક્કી થઈ ગઈ, કે
૧૬૨ * ભરત–બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org