________________
સાથે જ ચક્રવર્તીની સાગરતરંગો જેવી સેના મેદાનમાં વાવાઝોડાના વેગે ધસી જવાની હતી.
છેલ્લા કેટલાક વખતથી અયોધ્યાના રાજકારણી પુરુષોમાં યુદ્ધઘેલાઓનો ઉત્સાહ એવો હતો કે તેઓ આ શુદ્ધિવ્રત જેવી વિધિને પણ કંટાળાની નજરે જોતા હતા. આ પ્રકારની આધ્યાત્મિકતા રાજકારણમાં ખપે કે ન ખપે, એનો વિવાદ ચાલતો થયો હતો.
કેટલાક એમ કહેતા કે, પહેલાં ધર્મ અને પછી રાજ; ધર્મ જાય તો તો બધું ગયું સમજવું. ધર્મહીનનું રાજ્ય લૂંટારાનું પેડું બની જાય અને એ માર્ગ પર ભગવાન ઋષભદેવે પોતાના ત્યાગથી મહોર મારી હતી.
તેમણે માણસનાં કુળ રચ્યાં. કુળમાંથી સમાજ રચ્યો. સમાજમાંથી રાજ્યનું નિર્માણ કર્યું. અને આમાં ઉત્તરોત્તરની સત્તા સ્થાપી ઃ કુળ પર સમાજનું નિયંત્રણ, સમાજ પર રાજનું નિયંત્રણ; પણ છેલ્લે એમણે ધર્મની સ્થાપના કરી અને બતાવ્યું કે આ બધા પર ધર્મનું નિયંત્રણ અને પછી પોતે યોગી બન્યા.
યોગી બનીને એમણે બતાવ્યું કે, યોગીની ભૂમિકા માટે સજ્જ થતો માનવી જ રાજા થવા માટે – લોકનેતૃત્વ માટે યોગ્ય છે. રાજા તે યોગી, અને યોગી તે રાજા, એમ બંને શબ્દોને તેમણે એકબીજાના પર્યાયવાચી બનાવી દીધા.
પણ ભગવાન ઋષભદેવનો સીમાવિસ્તાર ખૂબ નાનો હતો, જોકે એમનો પ્રતાપ-વિસ્તાર વિપુલ હતો. એમના વખતમાં રાજના કાયદા નહોતા ને હતા તો સાવ સાદા.
હાકાર, માકાર ને ધિક્કારની એમની નીતિ હતી, કોઈ પણ ગુનેગારને ‘અરે, આવું થાય ?’ એટલું કહેતાં એ પૃથ્વી માર્ગ આપે તો સમાઈ જવા તૈયાર થઈ જતો.
માકાર તો સ્પષ્ટ રાજઆજ્ઞા હતી : ‘આમ ન કરવું.’ જૈનો નિષેધ કરવામાં આવતો, એ કાર્ય અનીતિવાળું લેખાતું. અનીતિ કોઈ આચરતું નહિ. ભાગ્યવશાત્ આવી અનીતિ કાંઈ આચરતું તો એને ભગવાન ઋષભદેવના દરબારમાં હાજર કરવામાં આવતો. એ વખતે સભા સમક્ષ એ ગુનેગારનો તિરસ્કાર થતો.
ગુનેગારને એ ધિક્કારની પાસે મૃત્યુદંડ પણ સારો લાગતો. પછીથી એ પોતાનું મોં પણ ન બતાવતો, પોતાની વર્તણૂકથી ધિક્કારની કાલિમા ધોવા એ સતત પ્રયત્ન કરતો. ને એક દિવસે આશ્ચર્ય વચ્ચે રાજા ઋષભદેવ અંતે શોધી
વિદ્યાધરોની વિષ્ટિ * ૧૬૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org