________________
૨૩
વિદ્યાધરોની વિષ્ટિ
અલબેલું પ્રભાત આકાશમાં નવનવા રંગે પ્રગટતું હતું. ગંગા નદીનાં નીર પર રંગબેરંગી બિછાત પથરાઈ ગઈ હતી. ને કિનારા બધા સોનેરી બની
ગયા હતા.
આકાશમાં પંખેરુએ હજી હમણાં ગાન શરૂ કર્યાં હતાં. હાથીઓ વહેલા ગંગાસ્નાન કરી પાછા ફરી ગયા હતા. યોદ્ધાઓ તીર, કવચ ને શિરસ્ત્રાણ સજી રહ્યા હતા.
રાજા બાહુબલની છાવણીમાં વળી નવો રંગ દેખાતો હતો ઃ સ્ત્રી ને પુરુષો એકબીજાને ગાલગાલ અડાડી, ઓષ્ઠે ઓષ્ઠ ભીંજાવી યુદ્ધદેવતાને વધાવી રહ્યાં હતાં. એમણે મસ્તક પર મોરપિંછના મુગટ ને કેસુડાંની કલગીઓ ચઢાવી હતી. તીર પર મુચકુંદનાં ફૂલનો શણગાર હતો.
યુદ્ધની રણભેરી બજી ઊઠવાની તૈયારી હતી. પણ એ રણભેરી તક્ષશિલા તરફથી ન બજે, એવો રાજા બાહુબલનો હુકમ હતો. યુદ્ધ એ ચાહતા નથી, વગ૨માગ્યું યુદ્ધ આવે તો એને નકારતા કદી પાછો પગ ભરતા નથી. પ્રેમની બંસરી બાહુબલની, યુદ્ધની ભેરી ભરતની.
રણભેરી પૃથ્વીના પ્રથમ ચક્રવર્તી ભરતદેવની શિબિરોમાંથી ગુંજવાનો હતી, અને એને ઘડી બે ઘડીનો જ વિલંબ હતો.
ચક્રવર્તી ભરતદેવ એમનું ત્રણ દિવસનું શુદ્ધિવ્રત પૂરું કરી, ધ્યાનમાંથી ઊઠી, હવે પારણું કરે એટલી જ વાર હતી.
પારણું કરી શિબિરની બહાર આવી ધનુષ્યનો ટંકાર કરે, કે એ ટંકારવની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org