________________
બસ, એનું જ નામ સંસાર. ચાલો દેવી ! ઉગમણા આભમાં પ્રભાતિયો તારો ઊગી રહ્યો છે.'
થોડી વારમાં બંને નદીના પ્રવાહમાં દેખાયાં. ચક્રવર્તીની સેવા માટે ગંગાદેવીની કાળજી અપૂર્વ હતી. ચક્રવર્તી મહારાજને એક વાર એમ થઈ આવ્યું કે આ પ્રવાહ.જીવનમાં જ રહી જાઉં, રાજ-જીવનમાં ન જાઉં!
પણ એ કંઈ બન્યું છે કે આજે બને ! જેનું માથું ભારે એનું આભૂષણ પણ ભારે જ હોય ને ! મોટાની હોળી મોટી !
ભરતદેવ જ્યારે એમની શિબિરમાં પ્રવેશ કરતા હતા, ત્યારે પહેરેગીર કહ્યું:
‘રત્નદેવ અને કુત્તલદેવ નામના બે વિદ્યાધર દેવો આપની સાથે વિષ્ટિ કરવા આવ્યા છે. યુદ્ધના પ્રારંભ પહેલાં આપ ત્રણ દિવસનું જે શુદ્ધિવ્રત કરો છો એ વ્રતના પારણા પછી પ્રથમ તેઓ આપને મળવા માંગે છે.”
‘વારુ!' આટલો ટૂંકો જવાબ આપી ભરતદેવ અંદર ચાલ્યા ગયા.
ગુપ્ત ચર્ચા ૧૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org