________________
કર્યો.
રાજા બાહુબલ આગળ બોલ્યા : ‘ગરીબ ગાય પર તરાપ મારતો જંગલનો સિંહ જોયો હશે. એ વખતે ગાય કેવો સામનો કરે છે ? માનો કે ગાય હારી જાય, પણ તમે કહી શકશો કે સિંહ જીત્યો ? '
‘ના, ના, એમાં શાબાશી સિંહને નહિ, ગાયને જ ઘટે.’ પ્રજાજનો બોલ્યાં. રાજા બાહુબલે ઉત્સાહભર્યા અવાજે કહ્યું :
‘આપણું યુદ્ધ સુવર્ણલોભી અને અભિમાની લોકો સામે છે. મન મૂકીને લડવું, અને વખત આવે તો મરવું; કદાચ હાર થાય તોપણ મનથી ન સ્વીકારવી. જીત માટે સતત પ્રયત્ન કરવો. દાસત્વને મૃત્યુથી ભયંકર માનવું. આજની રાત છેલ્લી છે. કાલે યુદ્ધનો અગ્નિ ભભૂકી ઊઠશે. સમરાંગણમાં આત્મસમર્પણ કરવામાં કોઈ પણ પીછે હઠ ન કરશો.’
બરાબર છે. બોલો, ભગવાન વૃષભધ્વજની જે !'
ઊભા રહો, પ્રેમના અવતાર પિતાજીનું નામ આ કાર્યમાં ન શોભે. કામનાં અને ક્રોધનાં આકરાં તોફાન નષ્ટ કરનાર પવિત્ર આત્માનું નામ એની પુષ્ટિમાં ન શોભે. દૂત કાક ! તારે કંઈ વિશેષ કહેવું હોય તે કહે.’
કાક સિંહાસન પાસે આવીને ઊભો રહ્યો. પણ હવે રાત ઢળતી જતી હતી. ભરતદેવ પાછા ફર્યા, પણ તેમનાં પગલાં ખૂબ શિથિલ હતાં. ચક્રવર્તી કંઈ વિચારમાં હોય તેમ લાગતું હતું.
ગંગાના તીરે એ આવીને ઊભા રહ્યા, ત્યારે દેવી ગંગા વગર બોલાવ્યાં હાજર હતાં. એમણે જરા ટોળમાં કહ્યું,
મને તો થયું કે નાના ભાઈને ઘેર મોટા ભાઈ મહેમાનગતિએ રોકાઈ
ગયા !’
‘દેવી ! રાજકારણી પુરુષોનાં મન તમે શું જાણો ? એમના જેવા પરતંત્ર કોઈ નથી ! એ જે કરતા હોય છે, એ ક૨વા મન ના પાડતું હોય છે. ને જે મન કરવા કહેતું હોય છે, એ કદી એ કરી શકતા નથી. રાજા જેવો પરતંત્ર જીવ બીજો કોઈ નથી. તમે સાંચા સુખી છો દેવી !’
સહુને પા૨કે ભાણે મોટો મોદક લાગે, અમને તમારા સુખ-વૈભવની ઈર્ષ્યા આવે, તમને અમારા સુખ-સંતોષની ઈર્ષ્યા આવે.’
૧૫૮ * ભરત-બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org