________________
બરોબર ?” રાજા બાહુબલે મશ્કરીમાં કહ્યું, સમજ્યો. આનો અર્થ એ કે સ્ત્રીઓએ જ પુરુષોને તક્ષશિલા જીતી સુવર્ણ વગેરે આણવાનું કહ્યું, કાં ? એટલે હવે સુવર્ણ બરાબર મળે તો જ અયોધ્યાની સુંદરીઓ પુરુષને પ્રેમ કરશે, કાં ? એટલે હવે પ્રેમ પણ જગતમાં સુવર્ણ-રોગ્યની જેમ વિનિમયની વસ્તુ બનશે, કાં? પ્રેમ પણ ત્રાજવે તોળાશે, ખરું ને?
હા, પ્રભુ!' દૂત કાકે કહ્યું: “મોટા ભાગના અયોધ્યાવાસીઓની મનોવૃત્તિઓ આજે તો એવી છે. હજી તો ભેંસ ભાગોળે છે, ને ઘેર ઘમસાણ આદર્યું છે. મહારાણી સહુને કહે છે, કે સ્ત્રીઓની કળામાં કુશળ બનો, નહિ તો તક્ષશિલાનો વિજય સ્ત્રીઓને પરાજય જેવો સાલશે. તક્ષશિલાની સ્ત્રીઓ અયોધ્યાની સ્ત્રીઓ પર વર્ચસ્વ મેળવી જશે !”
“એટલે તેઓ પોતાનો વિજય નિશ્ચિત કહ્યું છે ?' પ્રજાજનોમાંથી એક સુંદરીએ પ્રશ્ન કર્યો. એણે રૂપાળાં ધનુષ્ય-બાણ ખભે લટકાવ્યાં હતાં, સિંહચર્મ કમરે વીંચ્યું હતું, કેશનો ઝૂડો બાંધ્યો હતો. એનો બધો પોશાક યોદ્ધાનો હતો, પણ આંખમાં લાલાશ યોદ્ધાની નહોતી.
હા, તેઓ વિજય પોતાનો જ કહ્યું છે.' કાકે કહ્યું.
પ્રજાજનો ! સાચા લડવૈયાઓ એમ જ કહ્યું. સામાને અજેય આત્મશ્રદ્ધાથી ઢીલો કરી નાખવા, એ તો ઠંડા યુદ્ધનો એક પ્રકાર છે' રાજા બાહુબલે કહ્યું, “ પણ એટલું યાદ રાખો કે જેનું મન હારતું નથી, એ માણસ કદી હારતો નથી. જેનું દિલ અન્યાયને મસ્તક નમાવતું નથી, એના મસ્તકને કોઈ ચક્રવર્તી પણ નમાવી શકતો નથી.”
ભરતદેવ બાહુબલના આ શબ્દો સાંભળી રહ્યા. એમને લાગ્યું કે આ યુદ્ધ આખી માણસજાતને બે ભાગમાં વહેંચી નાખશે : હારેલા ને જીતેલા. હારેલા હંમેશાં જીતવા પ્રયત્ન કરશે. જીતેલા હારેલાને દબાવવા પ્રયત્ન કરશે. અને હારજીતની એ ખેંચાખેંચમાં પૃથ્વી પર નકામી વૈરની પરંપરા જન્મશે.
ત્યાં ફરી બાહુબલ બોલતાં સંભળાયા: ‘પૂજ્ય પિતાજીનું એક સૂત્ર હતું : બીજાને હણવા ઇચ્છનારો પ્રથમ પોતાના અંતરમાં બેઠેલા પ્રેમસ્વરૂપ આત્માને હણે છે, પછી બીજાને હણે છે.”
‘સત્ય છે. અમે જીતમાં અને હારમાં અટલ રહીશું.' પ્રજાજનોએ પોકાર
ગુપ્ત ચર્ચા ૧૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org