________________
‘પ્રયત્ન કરો, આ તો હજી શાબ્દિક યુદ્ધ છે; કાયિક યુદ્ધ આવશે ત્યારે શું કરશો ?’ રાજા બાહુબલે કહ્યું.
સભા કંઈ ન બોલી.
આ વખતે ભરતની શિબિરમાં જઈને આવેલો કાક નામનો દૂત ઊભો થયો. એ બોલ્યો :
‘હે પ્રજાજનો ! હું શત્રુ-શિબિરમાં ઘૂમી વળ્યો છું. યુદ્ધ નક્કી થશે. અયોધ્યાપ્રદેશની સ્ત્રીઓ યુદ્ધનો વિરોધ કરશે, એ આપણી માન્યતા ખોટી છે બલ્કે, અમુક અપવાદ સિવાય, લગભગ ઘણીખરી સ્ત્રીઓએ યુદ્ધની પ્રેરણા આપી છે.’
‘સ્ત્રીઓએ યુદ્ધની પ્રેરણા આપી ? અરે, બ્રાહ્મીને સુંદરી જેવી બહેનોનાં ત્યાગ ને સમર્પણ શું એ ભૂલી ગઈ ? રે, ત્યાંની સ્ત્રીઓની બુદ્ધિ બગડી, એ પૃથ્વીની સુંદરતા બગડી ! પણ વારુ, કાક, શા માટે સ્ત્રીઓ યુદ્ધની પ્રે૨ક બની ?” રાજા બાહુબલે પ્રશ્ન કર્યો.
‘મહારાજ!પટરાણી સુભદ્રાદેવીના આવ્યા પછી, ત્યાં ભારે પરિવર્તન આવ્યું છે. સ્ત્રીઓની કલાના સ્વામી તરીકે આપ વિખ્યાત છો જ, પણ આપે એ કલાઓને મૂળરૂપમાં રાખી છે. પણ એમણે આપની એ કલાઓને ખૂબ બહેલાવી છે.’
‘અરે ! કલા એ તો વિજ્ઞાન છે. એ જ્ઞાનને ગમે તે રીતે, ગમે ત્યારે, ગમે ત્યાં પ્રગટ કરવું, એ જબરો કલાદ્રોહ છે. આ કલાઓ સ્ત્રીને તારશે નહિ, હણશે. અધિકારી વગરની વિદ્યા શાપરૂપ બનશે.' રાજા બાહુબલે, જેઓને ભગવાન ઋષભદેવે સ્ત્રીઓની ચોસઠ કલાઓ શીખવી હતી તેમણે કહ્યું.
‘એવું જ બન્યું છે. સુંદરતા પાછળ એ ઘેલી બની છે. એમની દૃષ્ટિ દેહ માથે જ મંડાઈ ગઈ છે. દેહને શણગારવા એને રૂપ જોઈએ, સુવર્ણ જોઈએ, મણિમાણેકના કટકા જોઈએ. અવગુંઠન માટે રેશમી વસ્ત્ર જોઈએ. અયોધ્યામાં એનો વપરાશ વધી ગયો, એટલો વધી ગયો કે એ વસ્તુઓ વેપાર બની ગઈ ! વેપારનું સાધન ત્રાજવાં શોધાયાં. લેણદેણના પ્રતીક તરીકે ગાય સ્વીકારાઈ. બે ગાય બરાબર આટલું સુવર્ણ એમ માપ ચાલુ થયું. વેપાર થયો એટલે વસ્તુ ગઈ. વસ્તુ ગઈ એટલે એની ઝંખના વધી, લાવો ! લાવો !” દૂત કાક
થંભ્યો.
-
‘અરે, આ અમે નવી વાત સાંભળી ! વારુ કાક, એક માણસ કેટલી ગાય
૧૫૬ * ભરતબાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org