________________
આંબાવાડિયાની આ કોકિલાઓ અને કોકિલોને બાજ જેવા પોતાના પરાક્રમી યોદ્ધાઓ ચપટીમાં ચૂંથી નાખશે. શું જોઈને બાહુબલે યુદ્ધનો આદેશ ઝીલ્યો હશે? મોટાભાઈની આધીનતા સારી કે આ સુંદર સૃષ્ટિનો સંહાર સારો ?
ભરતદેવને બાહુબલના દુરાગ્રહ પર મનમાં ને મનમાં ક્રોધ આવ્યો. એમ લાગ્યું કે આ બધાંને ખોટે રસ્તે દોરવા બદલ એ જ સજાને પાત્ર છે. પૃથ્વી ૫૨ના સ્વર્ગ જેવા આ પ્રદેશને સત્યાનાશના મુખમાં હોમવાના ગુના બદલે એને
નરકની સજા થવી જોઈએ.
ભરતદેવનાં વિશાળ ભવાં સંકોચાયાં. આંખના ખૂણા લાલ થયા. ત્યાં તેમની નજ૨, સામે સિંહાસન પર બેઠેલા, લઘુ બંધુ પર પડી : ‘વાહ ! કેવો કામણગારો ભાઈ !’
ભરતદેવનું બંધુવત્સલ હૈયું જાણે વેર ભૂલી પ્રેમમાં પડી ગયું. ચંદ્રના જેવું એનું મધુર મુખડું કેવું મીઠું તેજ વહાવી રહ્યું છે ! મિષ્ટાન્નની મિષ્ટતા ભુલાવે તેવી એ મુખની મીઠાશ, પોયણાં જેવાં એનાં લોચનિયાં, મંદિર જેવું વિશાળ વક્ષસ્થળ, સ્તંભસમાન બે હસ્ત, મંગળ કુંભ સમા બે ખભા, કેસરીસિંહ જેવી કટિ : નાખી નજર ન ખસે, એવો નયનાનંદવાળો એ પુરુષ છે.
જગત જેને કામદેવ કહે છે, એ આ બાહુબલ ! મારો લઘુ બંધુ ! ચક્રવર્તીનું મહાન હૃદય ઘડી પહેલાં સજા કરવાનો નિર્ણય કરતું હતું, તે હવે પ્રેમ ક૨વા લાગ્યું !
એવામાં, વાદળમાં હળવો હળવો મેઘ ગાજે એમ, સભાને સંબોધતો બાહુબલનો અવાજ આવ્યો :
પ્રજાજનો ! મેં તમને રસીલાં ગીત ગાવાની મના કરી છે; જે ગાય તેને કઠોર દંડ આપવાની આજ્ઞા કરી છે. એ આજ્ઞાએ તમને વ્યગ્ર કર્યાં હશે. તમારા પ્રિય રાજા તરફ તમને ક્રોધી બનાવ્યા હશે. પણ એનું તમામ શ્રેય યુદ્ધને અને યુદ્ધપ્રિય માનસને ઘટે છે.
‘આજનો યુગધર્મ માત્ર યુદ્ધનો ! એનાં જ ગીત રચો, એનાં જ ગીત ગાઓ !’
સ્વામી ! એવાં ગીત અમારાથી કેમે રચાતાં નથી ? લોહી પીવું, શત્રુના રક્તમાં સ્નાન કરવું, આપણા તીક્ષ્ણ દાંતોથી એને ચીરી નાખવા, આપણા પ્રબલ પંજાથી એને ફાડી ખાવા આવી આવી કરપીણ ઉત્તેજનાઓથી ભરેલી કવિતાઓ અમારાથી રચાતી નથી.’ એ પ્રદેશના કવિઓએ ફરિયાદ કરી.
ગુપ્ત ચર્ચા * ૧૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org