________________
મંડળી ભરાવાની હોવાથી બધાં સ્ત્રીપુરુષો શિબિરો છોડીને એ તરફ ગયાં
હતાં.
ગંગે ! તું જા. હવે હું એકલો જઈશ.” ભરતદેવે કહ્યું.
ભલે, પધારો. પણ વળતાં પાછો મારો ખપ પડશે. હું અહીં આટલામાં જ ફરું છું.'
તને કોઈ જોઈ જશે તો ?' મને તો બધા ઓળખે છે; મારો વાંધો નથી.”
એ બરાબર નથી, તું મધપ્રવાહે જ. વળતાં તીર સંદેશથી તને બોલાવી લઈશ.” ભરતદેવે કહ્યું ને આગળ વધ્યા.
હું તીર સંદેશની રાહ જોતી રહું, ને તમે તરીને ચાલ્યા જાઓ તો ?'
ગંગાદેવીના ભાવ ઉપર ભરતદેવ ખુશ થઈ ગયાં. તેમણે કહ્યું : “ નહિ જાઉં. પણ અહીં પકડાઈ ગયો ને કેદી બની ગયો તો .......?” " “પવનને કોઈ પકડી શક્યું છે? નવ ખંડના વિજેતાને શું દુષ્કર છે? અને આ તો ભાઈનું ઘર ને ભાઈ મહેમાન !' ગંગાના શબ્દોમાં છૂપો ભંગ હતો.
ગંગાદેવીને વળતો જવાબ ન આપતાં ભરતદેવ આગળ વધ્યા.
રાજા બાહુબલની છાવણી અત્યારે સજાગ હતી. રાજા બાહુબલની શિબિરના પ્રાંગણમાં સ્ત્રી ને પુરુષો એકત્ર મળ્યાં હતાં.
ભરતદેવે એક અંધારા ખૂણાનો આશ્રય લીધો. અહીંથી તેઓ બધે નજર નાખી શકતા હતા. તેમણે બધા સ્ત્રી-પુરુષો તરફ એક નજર નાખી લીધી : કેવાં રૂપાળાં, કેવાં અલબેલાં, કેવાં સરળ સ્ત્રી-પુરુષો!
રે ! કાલે યુદ્ધ મંડાશે, ત્યારે એ જ ખૂની વરુઓની જેમ શત્રુ બની સામા આવશે ! પોતે શત્રુ બની સામે જશે. એકબીજાનાં ખૂન વહાવશે ! માણસ પશુનો ધર્મ બજાવશે !
કેટલીક સ્ત્રીઓ ને કેટલાક પુરુષો યુદ્ધના સ્વાંગમાં ને યુદ્ધના લહેકામાં હતા, છતાંય એમના મોંએથી પ્રીતનું – સખનું સંગીત છૂટી જતું. તીર તો એના એ જ હતાં, પણ આ રસિક જીવોએ એને રંગથી શણગાર્યા હતાં, ને પુષ્પોથી ગૂંચ્યાં હતાં. જાણે યુદ્ધ એ પણ એમને મન રાસ રમવા જેવી આનંદની વસ્તુ હતી !
ભરતદેવને બાજ અને કોયલની ઉપમા યાદ આવી ગઈ. જગતના ૧૫૪ ભરત–બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org