________________
આવી છું.' આગંતુકે કહ્યું. એ ગંગાદેવી હતાં. આ તટનિવાસિની એ દેવી હતાં.
ચક્રવર્તી ભરતદેવ નવ ખંડ પૃથ્વીને જીતીને પાછા ફરતાં એને ત્યાં ઠીક ઠીક સમય રોકાયા હતાં, અને ઠીક ઠીક આનંદવિહાર કર્યો હતો. એ વખતની ગંગાદેવીનો ખ્યાલ હતો, કે રાજકાજ એ તો કાંટાળા રાહ છે; એ રાહ પર ઘવાયેલા રાજકારણી પુરુષોને આસાયેશ મળે તો આવા સ્થળે મળે તેમ છે. શર્કરા–જળ ગમે તેટલું મિષ્ટ હોય, પણ તૃષા તો છીપે છે ઝરણના સાદા શીતળ જળથી ! ગંગાદેવી રાજકારણી જીવોનો વિસામો હતી. એણે માન્યું કે મહારાજ ભરતદેવ શ્રમ ને રાજખેદ નિવારવા આવ્યા હશે. ગંગાની શીતળ સમીર લહેરીઓ એમના શ્રમને જરૂ૨ હરી લેશે.
મહારાજ ભરતદેવ ગંગાદેવીનો આશય સમજી ગયા. એનો ભ્રમ ભાંગતાં એમણે કહ્યું : ‘ મારે સામે પાર જવું છે.’
‘સામે પાર ?’ ગંગાદેવી આશ્ચર્યમાં પડી ગઈ. એણે કહ્યું : પ્રભુ, ત્યાં તો રાજા બાહુબલની સૈન્ય-શિબિરો છે.’
મારે ત્યાં જવું છે !’ ભરતદેવે કહ્યું. એમના અવાજમાં દૃઢતા હતી, ટંકાર હતો. બીજું કોઈ હોત તો આગળ બોલવાનું સાહસ ન કરત, પણ ગંગાદેવી તો જૂનાં પરિચિત હતાં; એમણે કહ્યું :
‘ત્યાં જવું શક્ય નથી. રાતદિવસ તેઓ એકઠાં મળે છે, સમાચારો જાણે છે, ને નિર્ણયો લે છે. આજ રાતે જ અન્તિમ મંડળી મળવાની છે. કાલે સવારે તો યુદ્ધ ઝગી ઊઠવાનું છે.’
6
‘તો તો એના જેવું ઉત્તમ શું ? મારે એમની મંડળી જોવી છે ગંગે ! બીજે કિનારેથી જઈએ. અન્ય કોઈ માર્ગેથી બાહુબલના સૈન્યમાં પ્રવેશ કરીએ.' ‘જેવી ઇચ્છા !’ ગંગા સર્વ માર્ગોથી પરિચિત હતી.
થોડી વારમાં ભરતદેવ અને ગંગા સરિતા-જળ પર અદૃશ્ય થઈ ગયાં. ભરતદેવ પાસે સાગર વીંધનારું પ્રબળ જળસેન્ય હતું, પણ આજ એને અળગું રાખીને ભરતદેવ આવ્યા અને પોતાને ભરતદેવની જળસેવા મળી, એનો ગંગાદેવીને હૈયે છૂપો ગર્વ હતો.
થોડી વારે બંને જણા સામે પારના અકાંત ભાગમાં પહોંચી ગયાં. અત્યારે
Jain Education International
For Private & Personal Use Only
ગુપ્ત ચર્ચા * ૧૫૩
www.jainelibrary.org