________________
પહેરેગીર બહાર સાવધ ઊભો હતો. ભરતદેવના સૈન્યનું શિસ્ત વખણાતું હતું. કોઈ સૈનિક પોતાની ફરજ પ્રત્યે લેશ પણ બેપરવા ન રહેતો.
ભરતદેવે પહેરેગીરના કાનમાં કંઈ કહ્યું ને તે આગળ વધ્યા. અંધકારના ઓળાની જેમ બધી શિબિરો વટાવી થોડી વારમાં એ ગંગાકાંઠે જઈને ઊભા. રોજ પડછંદ લાગતી એમની દેહ-પ્રતિમા આજ સાવ સામાન્ય દેખાતી હતી; ધરતી ધમધમાવતાં પગલાંમાં પણ તપસ્વીની કોમળતા હતી.
ગંગાનો ઘોર ગંભીર પ્રવાહ ચૂપચાપ વઘે જતો હતો. યુદ્ધની જાહેરાત થયા પછી હવે ગંગાતટ પર માણસોની અવર-જવર પણ ઘટી ગઈ હતી. ભરતદેવે પીઠ પરથી એક નાનકડું તીર જેવું કંઈક કાઢ્યું, ને હસ્તના વેગથી પાણીસરસો ઘા કર્યો.
પવનવેગે એ તીર ચાલ્યું ગયું. ક્યાં ગયું, એ ગમે તેવી ચકોર નજર પણ પકડી શકે તેમ નહોતું.
તીરનો જ જવાબ ન હોય એમ, થોડી વારે ગંગાના પ્રવાહ ૫૨, એક વ્યાઘ્રચર્મની નૌકા આવતી દેખાઈ. એ નૌકા બહુ જ નાની, ને પ્રવાહસરસી તરતી હતી. એમાં કોઈ આડા પડખે પડેલું હતું !
નૌકા ભરતદેવ ઊભા હતા, એ કિનારે આવીને લાંગરી. તરત કોઈ નીચે ઊતર્યું.
અરે ! આ તો એક સ્ત્રી છે. કમરથી નીચે માછલીના સુંદર ચર્મનું અધોવસ્ત્ર હતું. માથે નાનકડો મુગટ હતો. ગળામાં દેખાવડા સર્વેએ જાણે ઉત્તરીય રચ્યું હતું. એના હાથની મૂઠી બિડાયેલી હતી.
કિનારા પર આવતાંવેંત એણે નાની પ્રવાલ જેવી મૂઠી ઉઘાડી. હાથમાં એક મોતી ઝળકી ઊઠ્યું. એ મોતીનો પ્રકાશ આવનાર સ્ત્રીના દેહને અજવાળી રહ્યો.
આહ, શું સૌંદર્ય ! એનું ગૌર મુખ ને રક્ત પ્રવાલ જેવા ઓષ્ઠ દ્રષ્ટાની દૃષ્ટિને ખેંચી રાખે તેવાં હતાં. એમાં મોતીનો સૌમ્ય પ્રકાશ એને મળ્યો. પાતાળલોકની કોઈ અભિસારિકાની કલ્પના જાગે તેવું એ દૃશ્ય હતું.
શાંતિ અભેદ્ય હતી, એ શાંતિને ભેદતાં ભરતદેવે કહ્યું : ‘ગંગાદેવી કે ?’ ‘હાજી, વિહારે જવું છે કે ? આપનો તીર-સંદેશ મળતાં જ પહેરેલાં વસ્ત્રે
૧૫૨ * ભરત–બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org