________________
૨૨
ગુપ્ત ચર્ચા
ગગાતટના પૂર્વ-પશ્ચિમ ભાગ પર સામસામી પડેલી બંને છાવણીઓમાં અત્યારે નીરવતા વ્યાપી હતી. પહેરેગીરોના અવાજ સિવાય અને ગંગાના ખળખળ નિનાદ સિવાય કંઈ કર્ણગોચર થતું નહોતું.
યુદ્ધપ્રારંભ પહેલાં આવશ્યક એવું ત્રણ દિવસનું શુદ્ધિવ્રત ધારણ કરી, ચક્રવર્તી સાવ એકાંતમાં બેઠા હતા.
વ્રતનો આજે ત્રીજો દિવસ હતો.
ચક્રવર્તી ભરતદેવ શિબિરના શયનખંડમાં આડા પડ્યા હતા, પણ આંખોમાં નિદ્રા નહોતી. મહારાણીએ પીરસેલો મહાપ્રસાદ ને સ્ત્રીઓ યુદ્ધપ્રિય કેમ બની, એનો આખો ચિતાર એમના કલ્પના પ્રદેશમાં હમણાં જ આવી ગયો હતો, ને હવે યુદ્ધના ભાવિ વિષે એ ચિંતિત હતા.
વ્રત-જપથી શુદ્ધચિત્ત થયેલા ભારતદેવ વિચારી રહ્યા : શું યુદ્ધનું ભાવિ એવું હશે, કે એક આખો વર્ગ કોમળ ને એક આખો વર્ગ કઠોર બનશે ? એ કોમળતાનો અને કઠોરતાનો સંસાર કેમ સુખદ બનશે?
ભરતદેવની આંખોમાં ભાવિની ચિંતા ઝબકી રહી. એ ઊઠ્યા, ને પાસે પડેલો એક અંતરપટ આખા દેહ પર ઢાંક્યો. મસ્તકનો સુંવાળો લાંબો કેશકલાપ એક સાદા ઉષ્ણીષ (ઊનની પાઘડી) નીચે કમર પર એક રજું વીંટી લીધી.
પારધીના વેશમાં તેઓ શિબિરની બહાર નીકળ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org