________________
સામે બાકરી બાંધવી ન પાલવે ! સૌંદર્યઘેલછા એવી વસ્તુ છે કે પછી જગત તરફથી નજર હટી જાય, ફક્ત પોતાની જાત ઉપર જ ફર્યા કરે. જાતમાં જ જગતનો પ્રતિભાસ થાય.
ચક્રવર્તીની નજર સ્ત્રીવૃંદ પર ફરીને પાછી વળી, ને જાણે મનમાં નિર્વેદ અનુભવી રહી : ‘રૂપાળા દેહોને રૂપ વધારવાની કેવી ઝંખના ! સ્ત્રીદેહ કુદરતે જ સુંદર ને સુંવાળો ઘડ્યો છે, પછી આ ઠાઠ શું !'
પણ ચક્રવર્તીદેવને તરત યાદ આવ્યું કે આ ઘેલછા પોતાના પ્રાસાદમાંથી જ બહાર નીકળી છે, મહારાણી સુભદ્રા જ એનાં નિર્માતા છે. આ નવા રૂપ પ્રકાર દ્વારા શું પોતાનું મન પણ એણે મોહી લીધું નથી ?
ચક્રવર્તી ભરતદેવ થોડી વાર ઊંડા વિચારમાં પડી ગયા. આત્મચિંતન ને મનોમંથન એમની પ્રકૃતિ માટે સ્વાભાવિક હતાં. ત્યાં તો રૂમઝૂમ રૂમઝૂમ અવાજ આવ્યો. ચાર સુંદર પરિચારિકાઓ એક નકલી દ્વારમાંથી નીકળીને બહાર આવી.
એક દર્પણકન્યા બની હતી. એના હાથમાં દર્પણ હતું. એ પૂર્વ દિશામાં મોં કરીને ઊભી રહી. બીજી કળશ-કન્યા બની હતી. એના હાથમાં સુંદર કળશ હતો. એ દક્ષિણ દિશાના દ્વારમાં જઈને ઊભી. ત્રીજી રંગ-કન્યા બનીને આવી હતી. એના હાથમાં એક પાત્ર હતું. રંગરંગવાળી માટીનો ભૂકો એમાં ભર્યો હતો. એ ઉત્તરમાં ઊભી રહી. ચોથી ચામર-કન્યા બનીને આવી હતી. એના હાથમાં ચમરી ગાયના પૂછના વીંઝણા હતા. એ પશ્ચિમ દિશામાં ઊભી રહી.
આ નવીન આયોજનાએ સહુનાં મન મોહી લીધાં. પણ રે ! રાણીજી ક્યાં?
ત્યાં તો થોડી વારમાં ઘૂઘરીઓનો અવાજ રણક્યો; મીઠા તાલે ઘૂઘરીઓ વાગતી હતી.
સહુની દૃષ્ટિ દ્વાર પર થોભી ગઈ ! એના પર લટકતા પટ પર થંભી રહી.
એટલામાં રંગપાત્રવાળી કન્યા મધુર ગતિથી આગળ વધી ને એણે માર્ગમાં રંગો વેર્યો ! દ્વાર પરનો પટ જરાક ઊંચો થયો.
તરત અંદરથી બે પદપંક્તિઓ ચાલતી આવતી નજરે પડી. એ પગ તે કેવા ! બંને પગમાં સુવર્ણનાં આભૂષણ ! આભૂષણ તો ઠીક, પણ બોલતાં આભૂષણ ! ૧૪૮ ભરત–બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org