________________
૨૧
મહાપ્રસાદ
અરીસાભવનના એક ખંડમાં ફરી સ્ત્રી-સમુદાયને નોતરવામાં આવ્યો. પુરુષવર્ગમાં માત્ર ચક્રવર્તી જ હાજર હતા.
રંગભર્યો આચ્છાદન પટ વચ્ચે નાખવામાં આવ્યો.
થોડી વારે અરીસાભવનના એ ખંડમાં દીપકો ઝળહળી ઊઠ્યા. આ ખંડમાં અરીસા એવા પ્રકારે ગોઠવવામાં આવ્યા હતા, કે એક દીપકનાં સો સો પ્રતિબિંબ પડે.'
આખો ખંડ ઝળાંહળાં થઈ ગયો હતો. ત્યાં એકત્ર થયેલ સુંદરીવૃંદ પોતાના દેહની અદ્ભુત શોભા કરીને આવ્યો હતો. પણ આ ખંડનો જ શણગાર એવો હતો કે, બધાના દેહ-શણગાર એની આગળ ઝાંખા પડી ગયા.
સહુ આચ્છાદનપટ ખેંચાવાની રાહ જોઈને બેઠાં.
થોડી વારે પટ ખેંચાયો. પણ રે ! રાણીજી ત્યાં નહોતાં, સિંહાસન પર એકલા ચક્રવર્તી ભરતદેવ જ હતા ! ચક્રવર્તી પણ ઉત્સુકતાથી ચારેતરફ નજર ફેરવી રહ્યા હતા. એમની આંખો અયોધ્યાના સુંદરીવૃંદ પર જતી ને થંભી જતી !
અયોધ્યાના સ્ત્રીવૃંદમાં જાગેલી સૌંદર્ય-સ્પર્ધાના એ જાણકાર હતા, બબ્બે એ સ્પર્ધાને તેઓએ જ વધવા દીધી હતી, કારણ કે સ્ત્રી-રવભાવ સહજ રીતે યુદ્ધનો વિરોધી હતો; ફક્ત આ પ્રકારથી જ એને અનુકૂલ કરી શકાય તેમ હતો. સ્ત્રી સૌંદર્યઘેલી બને, એટલે યુદ્ધવિરોધી મટી જાય. કારણ કે સૌંદર્યને ' ખપતાં ઉપકરણો માટે એને પુરુષાશ્રય અનિવાર્ય બને ! પછી એને પુરુષની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org