________________
‘દૂધ ન દેતી બે ગાય એક ગાય તરીકે લેખાશે. ‘સવત્સા ગાયની કિંમત વધુ થશે. ‘ગર્ભવતી ગાય દૂધ દેતી ગાય બરાબર મૂલવાશે.
અમારી આ જાદુઈ લાકડી, જે યથાવત્ ભારને દર્શાવનારી છે, એ હવે ત્રાજવા તરીકે ઓળખાશે,’
‘અમારી દુકાને કોઈ જાતના ભેદભાવ નહિ રહે. જેની પાસે ગાય એ અમારો માનવંતા ગ્રાહક લેખાશે.’
આ એક નવા પ્રકા૨ પછી ગાયોનું મહત્ત્વ વધ્યું, અને સામે ૨જત-સુવર્ણનું પણ માન વધ્યું ! અને એકનું જોઈને અનેક વ્યવહારિયા ઊભા થયા.
બધા હાટ માંડી બેઠા. એમણે રજત અને સુવર્ણ ઉપરાંત બીજી વસ્તુઓ પણ એમાં ઉમેરી. ઉપરાંત દેશ-પરદેશમાં પોતાના સ્વજનોને એની શોધ માટે મોકલ્યા.
તેઓ અગત્યના સમાચાર લાવ્યા કે તક્ષશિલામાં આના કોઈ ભાવ પૂછતું નથી ! તક્ષશિલા પર જો વિજય થાય, તો ચાર ગાયના બદલામાં જેટલું સુવર્ણ કે ૨ત મળે છે, એટલું એક ગાયના બદલામાં આપી શકાય.
બસ, આ સમાચાર પ્રસરતાં જ લડાઈના ઉત્સાહનું એક જબ્બર મોજું બધે ફરી વળ્યું. અયોધ્યાની સુંદરીઓએ મહારાણી સુભદ્રાની જેમ પોતપોતાના પતિઓને આંગળી કાપી રક્તતિલક કરવાની તૈયારી કરી ! પુરુષને સ્ત્રીનો મોહ મનમાં હરપળે રહ્યા કરે, એવો વર્તાવ પણ એ ક૨વા લાગી !
સૂચના દિવસોની હવે ભારે અધીરાઈથી રાહ જોવાવા લાગી. હવે તો મહારાણી પોતાનો મહાપ્રસાદ પીરસે એટલી વાર હતી, અને એ દિવસે પણ નજીક આવી ગયો.
૧૪૬ * ભરત–બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org