________________
પેલા માણસે લતાદોર લઈને લાકડીને વચ્ચેથી ઝાડ સાથે બાંધી ને પેલી સ્ત્રીનું રજત માગી આવ્યો. એ સ્ત્રીએ સહજ આનાકાની સાથે રજત આપતા કહ્યું: ‘હવે મારે રજત શિલ્પીને આપી દેવાનું છે. આજ તો આપું છું, પણ ફરી ન મંગાવશો.”
પણ પછી ‘બે ગાયોના પ્રમાણમાં આટલું રજત’ એમ માપ કઈ રીતે નીકળે ?' પેલા માણસે પોતાની મૂંઝવણ કહી.
સ્ત્રી ચાલાક હતી. એણે કહ્યું :
અરે ભલા માણસ ! એટલીય બુદ્ધિ નથી. તારે તો આ રજતનું માપ જોઈએ છે ને ! એટલા ભારવાળો એક પથરો તૈયાર કરીને સામે મૂક. બસ, પછી બે ગાય લઈને આવે એને એ પથરા ભારોભાર રજત લાકડીએ ટાંગી સમતોલ કરી આપવાનું !”
પેલો માણસ આ કરામત પર ખુશ થઈ ગયો. એણે એ પ્રમાણે કર્યું, ને કામ બરાબર પતી ગયું. વ્યવસાય બરાબર ચાલ્યો.
બીજે દિવસે એણે આખી અયોધ્યામાં પડહ વગડાવ્યો, ને કહ્યું જુઓ, હું દેવદત્ત છું આપવા-લેવાના વ્યવહારનો જાણકાર છું. માટે મારું નામ વ્યવહારીઓ છે.
રજત-સુવર્ણ મારી પાસે છે. જેનું લેવું એને આપવું એ સાચો વ્યવહાર છે.”
એકે પ્રશ્ન કર્યો : ‘અમારી પાસે કંઈ ન હોય અને અમારે કંઈ લેવું હોય?'
કોઈ ને કંઈ ન આપવું અને એની પાસેથી લેવું. એ શરમ છે.”
સાચી વાત છે. એટલે તો અમે આજ સુધી માણસ પાસે કંઈ ન માગતાં; પૃથ્વી કણ આપતી. આકાશ જળ આપતું. વન ફળફૂલ આપતું. માણસ પાસે શું માગવું? એને જ જ્યારે બીજા આપતા હોય ત્યારે એ શું આપે ?
“માણસ માણસ પાસે માગે; માણસ માણસને આપે; એ શરમનો અમે નીવડો આપ્યો છે.”
કઈ રીતે ?” જે જોઈએ તે લઈ જાઓ, બદલામાં ગાયો લેવાનું નક્કી કર્યું છે.” “સુંદર ! શું માપ નક્કી કર્યું છે?'
બે ગાયો આપો, ને એક પથ્થરના ભાર જેટલું રજત લઈ જાઓ ! પણ જુઓ –
તોલ-માપ ૧૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org