________________
કોઈ કહે, ‘અમને સફેદ માટી આપો !” કોઈ કહે, ‘અમને પીળી માટી આપો !” પેલો માણસ કહે : “એમ કંઈ અપાય ?'
સુંદરી કહે: ‘તમારે ખપનું નથી, તમારી પાસે ઘણુંબધું છે, પછી શા માટે ન આપો ?'
પેલો કહે : “અમારે આ ખપનું નથી, પણ બીજાનું જે તમારી પાસે છે, એનો અમને ખપ છે !'
“અરે આવી આપવા-લેવાની ભાવના આપણે ત્યાં નહોતી. આપવું એટલે આપવું, એની સામે માગવું હીન લેખાતું !'
પેલો માણસ ધીરેથી સમજાવતો : “એ વખતે આવા શોખ નહોતા; ખપ માત્ર જીવનની જરૂરિયાતોનો હતો. જીવનની જરૂરિયાત આપવાનો અમે બદલો માગીએ એ ખરાબ, બાકી આ કંઈ જીવનની જરૂરિયાત નથી. તમારે બદલામાં કંઈક આપવું જોઈએ.”
સુંદરી બોલી : “મારી પાસે ફક્ત ગાયો છે.'
પેલો બોલ્યો: ‘તો બે ગાયો મને આપો, ને જેટલું ઊંચકી જઈ શકો, તેટલું રજત ઉપાડી જાઓ !”
અલંકારપ્રિયા સુંદરીએ તેમ કર્યું. તેની પડોશણે આ વાત સાંભળી એટલે એ પણ બે ગાય લઈને રજત લેવા આવી. પણ પ્રથમ આવેલી સુંદરી કરતાં એ સશક્ત હતી; એણે બમણું રજત ઉપાડ્યું.
પેલો માણસ બોલી ઊઠ્યો : “અરે, બે ગાયના બદલામાં આટલું રજત ન અપાય. આ તો ચાર ગાયનું છે.'
સુંદરી બોલી: “એ કેમ ખબર પડે ?”
પેલો માણસ વિચારમાં પડી ગયો. થોડી વારે એણે કહ્યું : “જુઓ, મારે બેય આંખ સરખી. તમને વધુ આપવું ને બીજાને ઓછું આપવું એ મને ન શોભે, અને હવે તો આ નિત્યનો વ્યવસાય થયો. મેં એ માટે એક યુક્તિ વિચારી છે. જુઓ, આ લાકડી બરાબર મધ્યમાંથી એક વેલથી બાંધીને ઝાડ પર લટકાવી છે. લાકડી સમ છે. હવે એક બાજુ તમે લીધેલું રજત ને બીજી બાજુ પેલી સુંદરીએ લીધેલું રજત લટકાવું છું લાકડી ઊંચી-નીચી થાય તો સમાન કરવા જેટલી જ રજતમાંથી વધઘટ કરીશ.”
ભલે, ભલે !' સુંદરીએ હા ભણી. ૧૪૪ ભરત–બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org