________________
ત્યાંના રાજા બાહુબલે ઘણા વખત પહેલાં કરેલી છે ! સ્ત્રીની ૬૪ વિદ્યાનો એ જાણકાર રાજવી છે. હવે જો તક્ષશિલા પર વિજય મળે તો રેશમી તરુવરોનો તોટો ન રહે !
સુંદરીઓ થનગની રહી. તેઓ કહેવા લાગી : “ખરેખર, તક્ષશિલા પર વિજય મળે તો રેશમી તરુવરોનો તૂટો ન રહે. અને જો ખરા ભાવથી પુરુષો લડે, તો વિજય કેમ ન મળે ? શું પોતાની પ્રિયતમાઓને રાજી રાખવા માટે આટલો ભોગ પુરુષો ન આપે ? વળી તક્ષશિલાના સૈન્યમાં અડધી તો સ્ત્રીઓ છે, અડધા જ છે પુરુષો !” - તક્ષશિલાની સ્ત્રીઓની તાકાત વિષે અને હારને પણ જીત જેવી બનાવી દેવાના તેઓના સ્વભાવ-શીલ વિષે જેઓ પૂરેપૂરા વાકેફ હતા, તેઓ ન બોલવામાં નવ ગુણ જોતા.
આ રેશમી વૃક્ષો ઉપરાંત મુગટ, હાર અને કટિમેખલા જેવા સુવર્ણ અને રજતના અલંકારોના ઉદ્ભવ પછી અત્યાર સુધી નિષ્ક્રિય પડ્યા રહેતા એ ધોળા-પીળા પાણકા કીમતી થઈ ગયા. આ પાણકાના આજ સુધી કેટલાક ગાય દોહવાના પાત્ર બનાવતા, છતાં માટીના પાત્ર જેવાં એ પાત્ર ગુણકારી ન લાગતાં; એ નકામાં જ્યાં જ્યાં અથડાયાં કરતાં. કોઈ કોઈ પ્રવાસીઓ જલપાત્ર તરીકે એને વાપરતા, કારણ કે માટીની જેમ અથડાવાથી એ ભાંગી ન જતું ! બાકી તો જળની શીતળતા ને અન્નનો સુસ્વાદ માટીનાં પાત્રોમાં જે મળતો એ બીજામાં ન મળતો.
કોઈ પોતાનાં પ્યારાં પશુ માટે એ ધોળી-પીળી માટીની સાંકળ બનાવરાવતું. શસ્ત્ર માટે તાંબું વપરાતું, એટલે એ અલભ્ય રહેતું. બાકી ધોળી-પીળી માટીના તો ઢગલા મળતા !
એ ઢગલા હવે મહત્ત્વનાં બન્યાં. અગ્નિના સંયોગથી ને શિલ્પીઓના હાથથી એનું ગજબનું આકર્ષણ જાગ્યું, ગોરી ગોરી દેહ પર પીળા રંગનો અલંકાર ને જરાક શ્યામ વર્ણની દેહ પર રજતનું આભૂષણ અદ્ભુત પેદા કરતાં.
રૂપાળી દેહનું એક આકર્ષણ તો જાગ્યું હતું જ, એમાં હવે અંગેઅંગેનું અનોખું આકર્ષણ જાગી ગયું. અંગેઅંગના અલંકાર શોધાયા.
એક દિવસે એક માણસ પરસાળમાં ધોળી-પીળી માટીના ઢગલા લઈને બેઠો. અયોધ્યાની સુંદરીઓ એના ઉપર અવાયી પડવા લાગી.
તોલ-માપ ૧૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org