SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ તોલ-માપ રાજા ભરતદેવના યુદ્ધ-પ્રસ્થાનના દિવસો જેમજેમ પાસે આવતા જતા હતા, એમ મહારાણી સુભદ્રાદેવીના મહાપ્રસાદની પણ ઘડીઓ ગણાતી હતી. સ્ત્રીસમુદાયમાં આની ઇંતેજારી પ્રચંડ હતી, અને એ મહાપ્રસાદના દર્શનની વેળાએ પોતાના દેહને નવા રૂપ, નવા રંગ, નવા પટ ને નવા અલંકારોથી મઢીને લઈ જવાની ઝંખના પણ અપૂર્વ હતી. આ ઘેલી અપૂર્વતાના નાદમાં થોડીએક શાણી સ્ત્રીઓનો યુદ્ધવિરોધી નાદ નગારખાનામાં તૂતીના અવાજની જેમ ડૂબી ગયો, બ કેટલીક સ્ત્રીઓ તો છડેચોક યુદ્ધની હિમાયત કરવા લાગી. એનાં કારણો પ્રગટ ને સબળ હતાં. મહારાણીએ કંચૂક ને અવગુંઠનની શોધ કર્યા પછી, એ અવગુંઠનો જેમાંથી સરજાતા એ રેશમી છાલવાળાં વૃક્ષોનો સોથ વળી ગયો હતો. કેટલાક પુરુષો પોતાની પ્રિયતમાઓ માટે જંગલેજંગલ આથડ્યા હતા. જ્યાં એ વૃક્ષ મળતાં ત્યાંથી એ કાપી લાવતા. જેઓ શોધ કરવાના કંટાળાવાળા હતા, તેઓ પેલા શોધકોને થોડા વધારે લાવવા વિનંતી કરતા – બદલામાં જે માગે તે આપવા તૈયાર હતા ! કેટલાક સ્ત્રીની પ્રીતના ઘેલા નહોતા, પણ જંગલજીવનના શોખીન હતા. તેઓ આ રેશમી છાલ લાવતા, ને પછી સુંદરીઓ પાસેથી દૂધ, નૃત્ય કે હાસ્ય લઈને એ આપતા ! આવા લોકો જ શોધી લાવ્યા, કે તક્ષશિલામાં આવાં વૃક્ષો અનેક છે. અને જે મહાન શોધનું માન આપણે મહારાણી સુભદ્રાદેવીને આપીએ છીએ, તે શોધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004518
Book TitleBharat Bahubali
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy