________________
૨૦
તોલ-માપ
રાજા ભરતદેવના યુદ્ધ-પ્રસ્થાનના દિવસો જેમજેમ પાસે આવતા જતા હતા, એમ મહારાણી સુભદ્રાદેવીના મહાપ્રસાદની પણ ઘડીઓ ગણાતી હતી. સ્ત્રીસમુદાયમાં આની ઇંતેજારી પ્રચંડ હતી, અને એ મહાપ્રસાદના દર્શનની વેળાએ પોતાના દેહને નવા રૂપ, નવા રંગ, નવા પટ ને નવા અલંકારોથી મઢીને લઈ જવાની ઝંખના પણ અપૂર્વ હતી.
આ ઘેલી અપૂર્વતાના નાદમાં થોડીએક શાણી સ્ત્રીઓનો યુદ્ધવિરોધી નાદ નગારખાનામાં તૂતીના અવાજની જેમ ડૂબી ગયો, બ કેટલીક સ્ત્રીઓ તો છડેચોક યુદ્ધની હિમાયત કરવા લાગી. એનાં કારણો પ્રગટ ને સબળ હતાં.
મહારાણીએ કંચૂક ને અવગુંઠનની શોધ કર્યા પછી, એ અવગુંઠનો જેમાંથી સરજાતા એ રેશમી છાલવાળાં વૃક્ષોનો સોથ વળી ગયો હતો. કેટલાક પુરુષો પોતાની પ્રિયતમાઓ માટે જંગલેજંગલ આથડ્યા હતા. જ્યાં એ વૃક્ષ મળતાં ત્યાંથી એ કાપી લાવતા. જેઓ શોધ કરવાના કંટાળાવાળા હતા, તેઓ પેલા શોધકોને થોડા વધારે લાવવા વિનંતી કરતા – બદલામાં જે માગે તે આપવા તૈયાર હતા !
કેટલાક સ્ત્રીની પ્રીતના ઘેલા નહોતા, પણ જંગલજીવનના શોખીન હતા. તેઓ આ રેશમી છાલ લાવતા, ને પછી સુંદરીઓ પાસેથી દૂધ, નૃત્ય કે હાસ્ય લઈને એ આપતા !
આવા લોકો જ શોધી લાવ્યા, કે તક્ષશિલામાં આવાં વૃક્ષો અનેક છે. અને જે મહાન શોધનું માન આપણે મહારાણી સુભદ્રાદેવીને આપીએ છીએ, તે શોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org