________________
‘આ શું ?’ બધી સ્ત્રીઓએ આશ્ચર્યથી પૂછ્યું.
*કટિમેખલા. પણ તમે આ અલંકારોમાં મુખ્ય વાત વીસરી ન જાઓ. ફરી કહું છું, તમારા માટે યુદ્ધનો સમય નજીક છે. અયોધ્યાએ તક્ષશિલા પાસે અધીનતા માગી છે. તક્ષશિલાએ એ આપી નથી. યુદ્ધ અવશ્યભાવિ છે. યુદ્ધમાં જીત આપણા માટે એક ભય લેતી આવે છે !’
‘આપણી જીત, પછી ભય કેવો ?’ સ્ત્રીઓ મહારાણીની વાત ન સમજી
શકો.
પુરુષોની જીત, સ્ત્રીઓ માથે ભય. તક્ષશિલાના પુરુષોની જેમ ત્યાંની સ્ત્રીઓ પણ અયોધ્યાની નિવાસી બનશે. એ વખતે તક્ષશિલાની મધુર સુંદર સ્ત્રીઓ પાસે તમે ફીકી લાગશો. એ સહુના ચાતુર્યભર્યાં ગાન ને સંલાપ પાસે તમે ગ્રામ્ય લેખાશો. દેવી બ્રાહ્મીએ એમને કેળવેલી છે. એ વખતે પુરુષો તમને અવગણશે; એ વખતે આ સાજશૃંગારથી તમે તમારું વર્ચસ્વ જાળવી શકશો, પુરુષને તમારે અધીન રાખી શકશો.’
ધન્ય છે મહારાણી, આપની દીર્ઘદર્શિતાને ! આખો સ્ત્રી-સમાજ આપનો ઓશિંગણ છે.’ સહુએ કહ્યું.
*એ કરતાંય એક અદ્ભુત કલાપ્રકારનું નિયોજન ક૨વાના વિચારમાં છું. તક્ષશિલાની સુંદરીઓ પણ છક્ક થઈને પોતાની જન્મજાત અભિજાત કલા ભૂલી જાય એવા મહાપ્રસાદ મહારાજ, રણવાટે સંચરે તે પહેલાં, દર્શાવવાના ઇરાદામાં છું.’
‘મહારાણીજી ! આપના એ મહાપ્રસાદથી અમને વંચિત ન રાખશો !’ ‘વારુ ! સ્ત્રીમાત્ર તરફ મારી સહાનુભૂતિ છે, એની ખાતરી રાખજો. એ વખતે તમને જરૂ૨ નોતરીશ.' આટલું બોલી મહારાણીએ પીઠ ફેરવી.
મહારાણી ૫૨ જીત મેળવવા માટે આવેલો સુંદરીસમુદાય આજ પોતાની હારને ગળાના હારની જેમ હોંશે હોંશે ધારણ કરી પાછો ફર્યો.
Jain Education International
For Private & Personal Use Only
રૂપને રૂપ ખપે * ૧૪૧
www.jainelibrary.org