________________
નથી. બ્રહ્માએ ભલે સ્ત્રીદેહ ઘડ્યો, પણ એ સ્ત્રીદેહને શણગાર્યો તો સુભદ્રાદેવીએ જ
મહારાણી મૃદુ કંઠે બોલ્યાં :
‘ભગિનીઓ ! શાંત થાઓ ! તમારી તરફ મારી માતાના જેવો રોષ અને પ્રેમ છે. આ શૃંગારપ્રકાર પાછળ હું નિરર્થક સમયનો વ્યય કરતી નથી. પણ મારે તમને આગામી ભયથી મુક્ત કરવાં છે, માટે આ શ્રેમ કરું છું.” મહારાણીએ એક મણિમય આસન પર સ્થાન લેતાં કહ્યું. એમના સ્વરમાં સ્ત્રી-કલ્યાણની ઉષ્મા હતી. એ આગળ બોલ્યાં :
તમે જાણો છો કે, તક્ષશિલા દેશની સ્ત્રીઓ અપૂર્વ રૂપ - લાવણ્યવતી હોય છે. ગાન, વાદન ને અભિનયની પટુતામાં પ્રથમ આવે એવી હોય છે. નૈસર્ગિક રમણીયતા તેમને વરેલી હોય છે. પુરુષો એ દેશને જીતી આવશે. પણ લડાઈ ત્યાં ખતમ નહિ થાય. પુરુષપૂરતી લડાઈ સંપૂર્ણ થયા પછી સ્ત્રીઓને લડાઈના મોરચે આવવું પડશે. જો તમે નહિ ચેતો તો એ રૂપ-સૌંદર્યભરી નારીઓ અગ્રગણ્ય થશે, અને દાસત્વ તમને મળશે. તક્ષશિલાની સર્વ પ્રકારે સુંદર સ્ત્રીઓ સાથે તમારે સામનો કરવાનો છે.” રાણી એટલું બોલીને પળવાર થોભ્યાં.
સ્ત્રીઓ પોતાના ગર્વદર્શનની ને કલાદર્શનની વાત આ કથન પાસે સાવ વીસરી ગઈ ને એકનજરે સાવ પરાજિત ભાવથી મહારાણીના મસ્તકના મુગટને જોઈ રહી.
મહારાણી તો ટટાર વિજયદેવીની જેમ ઊભાં જ હતાં. અભિભૂત થયેલી આંખો થોડી વારે મુગટ પરથી નીચે સરી, તો મહારાણીના ગળામાં એક સુવર્ણનો હાર, મડાગાંઠ વાળેલા સર્પની જેમ, લટકતો જોયો. એ મહારાણીના ભારે વક્ષસ્થળ પર થઈને નીચે જતો હતો. અને પ્રાણના થડકારે એ થડકારા લેતો હતો. અરે ! માત્ર ગાયના આંચળ જેવાં આપણાં વક્ષસ્થળ પટબંધનથી કેવાં આકર્ષક બન્યાં ! ને આ કંઠહારના સ્પર્શથી તો એ વગર શસ્ત્ર સામાને ઘાયલ કરે તેવાં થયાં. - સ્ત્રીઓ મનથી મહારાણીને પ્રણમી રહી. વાહ રે સ્ત્રીરૂપની અધિષ્ઠાત્રી ! ત્યાં તો એમની દૃષ્ટિ કમર પર સરી. કોઈ રૂપાળી ચંદનઘોને કમરે વીંટાળી હોય તેમ એક સોનેરી પટો ત્યાં પડેલો જ હતો. સિંહ જેવી કટીની શી શોભા બની રહી !
૧૪૦ ભરત–બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org