________________
પોતાની હાર થવાની ખાતરી થઈ ગઈ હોય, તેથી શરમાઈ ગયાં હોય, કે ગમે તે કારણ હોય !
અયોધ્યા દેશની કામણગારી સ્ત્રીઓનાં અંતરમાં આથી અભિમાન ઊપસ્યું, અને તેઓએ પ્રગટ આવાહન આપ્યું.
‘રાણીજી આવતાં કાં શરમાય ?’
“અરીસા ભવનમાંથી રાણીજીએ કહેવરાવ્યું કે શુક્લ પક્ષમાં હું તમને મળીશ; અત્યારે તો ભવનના નિર્માણના કામમાં વ્યગ્ર છું.'
અરે ! ત્યારે તો ત્યારે, પણ રાણીજી અમને દર્શન આપે !' આખરે શુક્લ પક્ષ આવ્યો.
રાણીજીએ અરીસાભવનના લગભગ સંપૂર્ણ થવા આવેલા એક ખંડમાં સહુને બોલાવ્યાં. એ દિવસે પોતાની કેશપાશની કલાને છેલ્લામાં છેલ્લો કલામય સ્પર્શ આપીને બધી રમણીઓ આવી. પુરુષોને કેટલાકને તો એ દિવસે તમ્મર આવ્યા, કેટલાક તો આ મારી દેવી, આ મારું સૌંદર્યધન કહી ગર્વ દાખવવા લાગ્યા !
ખંડમાં રાણીજીની બેઠક આગળ આચ્છાદાન હતું. બધી સ્ત્રીઓ રુઆબભેર ગોઠવાઈ ગઈ. થોડી વારમાં આચ્છાદન હટી ગયું. મહારાણી ત્યાં એક ચંદનકાષ્ઠના બાજોઠ પર ખડાં હતાં. વાહ રે સૌંદર્યમૂર્તિ !
ક્ષણે ક્ષણે જે નવીનતાને પ્રગટાવે, એનું જ નામ રૂપની રમણીયતા ! અહીં એનાં સાક્ષાત્ દર્શન થયાં.
રાણીજીએ આજ શણગારનો નવો જ પ્રકાર અજમાવ્યો હતો. કેશપાશ તો ગૂંથેલો હતો, પણ માથા પર સોનાનો મુગટ હતો. અને બિચારો કેશપાશ આ મુગટ પાસે જતી આબરૂ સાચવીને જાણે ખૂણામાં દબાઈ બેઠો હતો ! માંડી મીટ મંડાતી નહોતી. શોભા અપરંપાર વધી ગઈ હતી. વાહ રે !
સ્ત્રીઓ હવે દીન બની ગઈ, દોડીને બધી મહારાણીના ચરણમાં પડીને ગદ્ગદ કંઠે બોલી :
‘અમે તમારાં દાસ છીએ. તમારી સામે અમારો ગર્વ સૂરજ સામે આગિયાના ગર્વ જેવો, નિરર્થક છે. અમે તમારું નેતૃત્વ કબૂલ કરીએ છીએ. તમે અમને સ્વીકારો !”
મહારાણી મીઠું મીઠું મલક્યાં. એ વખતે એમની ધવલ દંતપંક્તિઓમાં સોનાની રેખાઓ નજરે પડી. વાહ રે કલાનિપુણતા ! કોઈ વાતે બાકી રાખી
રૂપને રૂ૫ ખપે જ ૧૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org